Gopal Italia ને Visavadar પ્રચારમાં અચાનક Surat ની યાદ આવતા બસ દોડાવશે ?
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે ઉમેદવારો ચૂંટણી પ્રચાર તો કરી રહ્યા છે પરંતુ તમામ ઉમેદવારોની નજર હવે સુરત તરફ હોય જેવું લાગી રહ્યું છે. પહેલા ભારતીય જનતા પાર્ટીની સુરતની અંદર એક સ્નેહ મિલન કાર્યક્રમ અને હવે સોશિયલ મીડિયાના માધ્યમથી Gopal Italiaએ મતદાન માટે 19 તારીખે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે એક પોસ્ટર વાયરલ કરવામાં આવી છે.
જેમાં કહ્યું છે કે પેટાચૂટણીની અંદર Gopal Italiaને જીત અપાવવા માટે મતદાન કરવા માટે આવનારા મતદારો માટે એક બસની સુવિધા પણ આપવામાં આવશે. જે સુરતથી વિસાવદર એ 18/6/2025 ના સાંજે ઉપડશે અને વિસાવદરથી પરત સુરત એ 19/6/ 2025 ના રોજ સાંજે ઉપડશે જે મતદારોએ પોતાનું મતદાન કરવું છે.
આપણા વતનનો અવાજ વિધાનસભામાં પહોંચાડવા માટે ચાલો જઈએ મત આપવા માટે ગોપાલ ઈટાલિયાને જીતાડવા માટે વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના સુરતમાં રહેતા મતદારોને વતનમાં આવવા માટે દાતાઓના સહયોગથી બસ સુવિધા પણ આપી રહ્યા છે.
આ પણ વાંચો- SURATમાં C.R.PATIL એ ભાયાણીને યાદ કરી કોને ટોણો માર્યો?
જો કે મંડાણ સુરત તરફ એટલા માટે છે કે સુરત તરફથી જે લોકો મતદાન કરવા માટે વિસાવદર આવશે એ સૌથી નિર્ણાયક મતદાન રહે તેવી શક્યતાઓ છે. કારણ કે મોટા ભાગના લોકો સુરતની અંદર રહી રહ્યા છે.આથી એ જે તરફ મતદાન કરે છે એ ઉમેદવાર જીત તરફ આગળ વધતો હોય, એવું અત્યાર સુધીના પરિણામોની સામે એ નજરે પડ્યું છે.વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના મોટા ભાગના લોકો સુરત શહેરની અંદર વસવાટ કરે છે. એટલે સુરત તરફ સૌ કોઈની નજર હોય સ્વાભાવિક છે.
જો કે હવે જોવાનું રહેશે કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની બસ સુવિધા અને ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસારની વેગ ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ કઈ તરફ ઉમેદવારોને માથે ઉમેદવારો એ રીચવવા માટે મતદારોને તૈયારી કરી રહ્યા છે.
કઈ રીતે મતદારો એ ઉમેદવારોને સમર્થન કરશે આવનારી 19 તારીખે મતદાન થયા બાદ આવનારી 23 તારીખે પરિણામ આવશે ત્યારે જ ખ્યાલ આવશે. પરંતુ આ બંને રાજકીય પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ છે.