Mahakumbh: પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મૌની અમાવસ્યાનાા દિવસે સાધુ સંતો સહિત અનેક ભક્તિો સંગમમાં શાહી સ્નાન કરવાના હતા. પરંતુ વહેલી સવારે નાસભાગ થતા 17 થી વધુ લોકોના મોત થયાની માહિતી સામે આવી રહી છે. જ્યારે અનેક લોકો ધાયલ હોવાના સમાચાર છે. હજૂ સુધી વહીવટીતંત્રએ મોતની સત્તાવાર પુષ્ટી કરી નથી. આ ઉપરાંત આ ઘટના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે ટેલિફોન પર વાત કરી છે અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
મેળાના સંગમ કાંઠે ભાગદોડમાં 17 લોકના મોતની આંશકા
મૌની અમાવસ્યા નિમિત્તે મંગળવારે વહેલી સવારથી શાહી સ્નાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન આ ઘટના બની હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, અચાનક મહિલા ભીડમાં શ્વાસ ઘુટાવવાથી બેભાન થઇ જતા ભીડે બેરેકેટ તોડી ઘાટ પર બેઠેલા લોકો પર ચઢી ગયો હતો.જેના કારણે અનેક લોકો ઘાયલ થયા અને 17 થી વધુના મોતની પણ આશંકા છે.આ ઘટના બાદ સંગમના કિનારે નાસભાગ મચી હતી.આ નાસભાગ બાદ તમામ અખાડાઓએ અમૃતમાં સ્નાન કરવાનો ઇનકાર કરી દીધો હતો.આ ઉપરાંત તમામ અખાડાઓના સંતોએ અમૃત સ્નાન કરવાની ના પાડી દીધી છે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ શ્રી મહંત રવિન્દ્ર પુરીએ કહ્યું કે અકસ્માત બાદ અખાડાઓ અમૃતસ્નાન કરશે નહીં.
નરેન્દ્ર મોદીએ યોગી આદિત્યનાથ સાથે 3 વખત વાત કરી
મૌની અમાસના દિવસે શાહી સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. તેના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળું અમૃત સ્નાન કરવા સંગમ ઘાટે ઉમટી પડ્યા હતા. જેના કારણે સંગમના કિનારે નાસભાગ મચી હતી.દુર્ઘટના બાદ પણ કુંભમાં આવનાર શ્રદ્ધાળુની સંખ્યામાં વધી રહી છે. પીએમ મોદીએ સીએમ યોગી સાથે એક કલાકમાં બે વખત વાત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવતા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશનને સઘન કરવા માટે તથા સ્થિતીને કાબુમાં લેવા કડક પગલા લેવાનું કહ્યું હતું.