Raju Karapada એ Visavadar માં કેમ કહ્યું કે ડૂબી મરવું જોઈએ?
VISAVADARની ચૂંટણીનો મામલો મેદાને પડ્યો હોય ત્યારે નેતાઓને ખેડૂતો અને આમ જનતાના પ્રશ્નો યાદ આવે. ત્યારે તેઓ પ્રચાર-પસારમાં સ્ટેજ પરથી ભાષણ કરી ભોળી જનતાને વાયદાના પુલ બાંધે છે. ત્યારે આવા જ એક ભાષણમાં AAP ના નેતાએ આક્ષેપ કર્યો હતો કે, ખેડૂતોને ખાતર નહિ મળતું .
એના જવાબમાં જયેશ રાદડિયાએ કહ્યું હતું કે જો ખેડૂતોને ખાતર ઘટતું હોય ને તો કિરીટ ભાઈ પટેલને નહિ પણ મને ફોન કરજો. તમારા એક ફોને હું ખાતર મોકલી આપીશ.
જયેશ રાદડીયાના આ નિવેદન બાદ AAP ના નેતા એવા Raju Karapada એ પ્રચાર કરતા એક સભામાં જયેશ રાદડિયાને જવાબ આપતા કહ્યું કે આટલી તમથી થી જીતેલી સરકાર હોય તમારી તમારી સત્તા હોય અને તમને ખાતર માટે તમારે તમને ફોન કરવો પડે અને તમારે ખાતરો માટે મોટી મોટી એડવર્ટાઈઝ કરવી પડે ડૂબી મરવું જોઈએ.આ બધી નિવેદનો આપતા પહેલા ઢાંકણીમાં જે ડૂબી મરવું જોઈએ તમારે.
તેઓએ વધુમાં કહ્યું કે જો આઝાદીના 75 વર્ષ પછી જો ખાતરની જાહેરાતો કરવા આવવું પડતું હોય તો ડૂબી મરવું જોઈ તમારે. અત્યારે તમે વાતો કરો છો કે ખાતર ના મળતું હોય તો કેજો, પહેલા તો શરમ આવવી જોઈએ તમને બોલતા પહેલા. આજે અમારો જગતનો તાત દિવસે દિવસે દેવાદાર બનતો જાય એની પાછળ જો કોઈ જવાબદાર હોય તો આ કૃષિ વિરોધી નીતિ ધરાવતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબદાર છે.
RAJU KARPADA એ ભાષણ આપતા કહ્યું કે ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી. અહીંયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના છેલ્લા એક વર્ષમાં પાંચ ગણી આવક થઈ ગઈ. આવકની વાત હતી ખેડૂતની ડબલ કરવાની, ભારતીય જનતા પાર્ટીના એક એક વ્યક્તિની આવકો વધતી જાય છે.
આ પણ વાંચો-Visavadar: કિરીટ પટેલના નિવેદન પર ઈટાલિયાનો સણસણતો જવાબ