Visavadar અને Kadi માં શંકરસિંહ વધેલાની પાર્ટીના ઉમેદવાર છેલ્લી ઘડીયે કોની બાજી બગાડશે ?

Visavadar
Visavadar અને Kadi માં Shankersinh Vaghelaની પાર્ટીના ઉમેદવાર છેલ્લી ઘડીયે કોની બાજી બગાડશે ?

 

ગુજરાતની અંદર જે બે પેટા ચૂંટણીની ચૂંટણી થવા જઈ રહી છે. આ પેટા ચૂંટણીના પ્રચારને હવે ગણતરીના દિવસો બાકી છે. આમ તો ગુજરાતમાં એવું કહેવાતું હોય છે કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવતો નથી. પણ આ વખતે તો ચાર પાખીયો જંગ છે એટલે કે આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ અને સાથે સાથે એ શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ પોતાના ઉમેદવાર બંને જગ્યાએ મેદાને ઉતાર્યા છે.

પણ શંકરસિંહ વાઘેલાએ પોતાના ઉમેદવાર તો ઉતાર્યા પણ આ રેસની અંદર ક્યાંય એ જીતના દાવેદાર તરીકે એમને જોવામાં નથી આવતા પણ ચોક્કસથી એ કોઈ જીતનારના મત કાપવામાં કેટલા સક્ષમ રહે છે અથવા તો એ કોની બાજી બગાડી શકે છે.

શંકરસિંહ વાઘેલા એ પત્રકાર પરિસદ યોજી અને કહ્યું કે”અમારા ફોટા ઉપર પોસ્ટર ઉપર કાળા કૂચડા મારવા એક જાતની બીજેપીની વિકૃત માનસિકતા છે. 160 જેટલા ધારાસભ્યો હોય અને એકાદ સીટ આમ તેમ થાય તો બહુ ફરક પડતો નથી. પણ જે રીતે એમને કડીમાં કોઈપણ હિસાબે ઇલેક્શન જીતવા માટે બાપુની પાર્ટીની ક્યાય બહુ અસરકારકતા ન રહે એની માટે એમને બહુ ખોટી રીતે કોચડા મારવાની વિધિ કરી છે.

બીજેપીના ચક્કરમાંથી છૂટવા માટે એકમાત્ર વિકલ્પ ભવિષ્યમાં વિસાવદનો ઇલેક્ટ થયેલો MLA બીજી પાર્ટીનો હોય તો ભાજપમાં નહી જાય એની કોઈ ખાતરી ખરી? 11 વર્ષનું આ શાસન અને 30 વર્ષનું શાસન એમાં બેકારી વધી, મોઘવારી વધી, ભૂખવારો વધ્યો, ભય વધ્યો, તો શું થયું આ કયું સુશાસન? માટે મેં કીધું કે આ આ દુર્યોધનનું દુશાસન છે. ભય ભૂખ ને ભ્રષ્ટાચાર તમારી મોનોપોલી થઈ ગઈ.”

આ પણ વાંચો-Pratap Dudhatએ ચાલુ ભાષણે Arvind Kejriwal અને Gopal Italia ને લીધા આડેહાથ

Scroll to Top