CM Bhupendra Patel એ શિક્ષણ મંત્રીને TET -TAT ના આંદોલનને લઇ હસતા હસતા શું પૂછ્યું?

CM Bhupendra Patel
CM Bhupendra Patel એ શિક્ષણ મંત્રીને TET -TAT ના આંદોલનને લઇ હસતા હસતા શું પૂછ્યું?

 


ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતી પ્રક્રિયાને લઈને આંદોલન ચાલી રહ્યા હતા જો કે તમામ લોકોને એવું હતું કે આ આંદોલન જે ચાલી રહ્યા છે એની સરકારને કાંઈ જ અસર નથી સરકારને કાંઈ જ ખબર નથી પરંતુ આ વાત એ તદ્દન ખોટી છે.

ગુજરાતની અંદર બનતી એ તમામ ઘટનાઓ ઉપર રાજ્યના ના મુખ્યમંત્રીની નજર હંમેશા રહેતી હોય છે. એના દાખલા રૂપ કિસ્સોએ રાજ્યના મુખ્યમંત્રીએ ગાંધીનગરના એક કાર્યક્રમની અંદર શિક્ષણ મંત્રીની સામે આપ્યો. ગાંધીનગર ખાતે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ પોતાની માંગો સાથે અનેક વખત આંદોલન કરતા રસ્તા ઉપર જોવા મળ્યા હતા. જો કે તેમની અટકાયત પણ કરવામાં આવી હતી. અને ત્યારબાદ આ તમામ ટેટ-ટાટ પાસ ઉમેદવારોને તેમની જગ્યા એ નિશ્ચિત આપવામાં આવી. તેમને એ યોગ્ય જગ્યા ઉપર તેમને ફાળવણી પણ કરવામાં આવી ભરતી પ્રક્રિયા પૂર્ણ પણ કરવામાં આવી.

જો કે આ વાતની જાણ પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હતી. કેમ કે તેમને ગાંધીનગરના એક જાહેર કાર્યક્રમની અંદર શિક્ષણ મંત્રીની હાજરીમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારને લઈને નિવેદન આપતા કહ્યું કે “ખબર નથી પડતી મને કે ક્યાંથી શું ઊભું થઈ જાય છે. અને કંઈકને કઈક તો આવીને તમારે રોજ જે કઈક ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલું. ટેટ ને ટાટમાં કઈક બહાર જ નથી નીકળતું.
જો તમે તમારા ભાઈઓને નોકરી કે બહેનોને નોકરી વધારે આપવી છે તો કામ એવું કરો કે સરકારી શાળાઓમાં વધુને વધુ વિદ્યાર્થીઓ આવે અને તો નોકરી વધશે ને નોકરી વધશે તો અમને બધા નોકરી અમે રાખીશું એવું દરેક ડિપાર્ટમેન્ટ માટે છે.”

આ પણ જુઓ-Visavadar અને Kadi માં શંકરસિંહ વધેલાની પાર્ટીના ઉમેદવાર છેલ્લી ઘડીયે કોની બાજી બગાડશે ?

Scroll to Top