Weather Tracker: જાણો ક્યારે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું?

Weather Tracker

Weather Tracker: આમ તો વાવાઝોડા અને ગુજરાતનો જૂનો નાતો છે કારણ કે જ્યારે Arabian Sea માં વાવાઝોડું બને ત્યારે ગુજરાત પર તેનાથી થતા નુકસાનનો ખતરો રહેલો હોય છે. ત્યારે સમજીએ કે મે મહિનામાં જ વાવાઝોડું કેમ બને છે. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ પણ વાવાઝોડા આવતા હોય છે તો તેની પાછળનું મુખ્ય કારણ હોય છે ગરમી અને આપણે ખબર જ છે કે ભારતમાં મે મહિનામાં કેવું વાતાવરણ રહેતું હોય છે. મે મહિનાનું વાતાવરણ સામાન્ય રીતે ભારતમાં જોઈએ તો ગરમ રહેતું હોય છે. Gujarat માં પણ આપણે સખત ગરમીનો અનુભવ કરતા હોઈએ છીએ અને આ વાતાવરણ કારણ કે મે મહિનો સૌથી વધારે ગરમ હોય છે. ત્યારાબાદ ચોમાસુ બેસવાની શરૂઆત જ થવાની હોય છે. એટલે તાપમાન પણ 40 થી 45 ડિગ્રીની વચ્ચે આ સમયે રહેતું હોય છે. India માં સામાન્ય રીતે 6 ઋતુઓ હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં હવામાનની પેટર્ન ઝડપથી બદલાઈ ગઈ છે.


 આ પણ વાંચો – Weather Tracker: ગુજરાતમાં વાવાઝોડું મચાવશે તબાહી!

આ પણ વાંચો – Shaktisinh Gohil: ગોંડલ વિવાદમાં શક્તિસિંહની એન્ટ્રી

મહિનાઓ કરતાં મે મહિનાની અંદર સાઇકલોન બનવાની શક્યતાઓ વધારે હોય છે કોઈ પણ વરસાદી સિસ્ટમ બને છે. જેટલું ઊંચું તાપમાન મળે એટલે એ વધારે મજબૂત થતી હોય કેમ કે તાપમાન છે. એને એનર્જી પૂરું પાડે છે એટલે વરસાદી સિસ્ટમ છે એ સામાન્ય રીતે મે મહિનાની અંદર ક્રિએટ થતી હોય છે. અને એમાં વધુમાં વધુ સાયક્લોન બનવાની સંભાવનાઓ હોય છે. હવામાન નિષ્ણાતના મતે વર્ષમાં ત્રણ થી ચાર મહિના એવા છે જે ચક્રવાત માટે સાનુકૂળ મનાય છે. જેમાં મે મહિનો નંબર વન પર આવે છે. ચક્રવાત માટે દરિયાની સપાટીનું તાપમાન 27ડિગ્રી કે તેથી વધુ હોવું જોઈએ.

મે મહિનામાં દરિયો ખૂબ જ ગરમ હોય છે અને તેથી તેની સપાટીનું તાપમાન પણ ખૂબ જ વધારે હોય છે. જાન્યુઆરીમાં દરિયાની સપાટીનું તાપમાન ખૂબ જ ઓછું હોય છે તેથી તે સમયે ચક્રવાતની શક્યતા નહિવત હોય છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ દરિયાની સપાટીનું તાપમાન ઓછું હોય છે. તેથી તે મહિનામાં પણ ચક્રવાત આવે છે. ક્યારેક ચક્રવાત ડિસેમ્બરમાં પણ ઉદ્ભવે છે. દક્ષિણ ગોળાર્ધ કરતા ઉત્તર ગોળાર્ધમાં ચક્રવાત વધુ અને વારંવાર આવે છે કારણ કે ત્યાં દરિયાઈ પાણીની સપાટી ગરમ હોય છે.

Scroll to Top