Weather Tracker: IMD Ahmedabad ની આગાહી અનુસાર આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આગાહી અનુસાર, 28 અને 29 મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. બીજી તરફ સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને તોફાની પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને, માછીમારોને આગામી ૫ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય. આગામી દિવસોમાં રાજ્યભરમાં હવામાન પલટો અને કમોસમી વરસાદ જોવા મળી શકે છે, જેને પગલે ખેડૂતો અને સામાન્ય જનજીવન પર અસર થવાની સંભાવના છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો – GPSC પર લાગેલા આરોપ ને લઇ Alpesh Purohit એ કહ્યું માત્ર જાતિવાદ નહિ પણ ભાજપવાદ પણ..
આ પણ વાંચો – Visavadar ના ખેડૂતોનું કલ્યાણ કરવા Keshubapa એ Gopal Italiya ને આશીર્વાદ આપ્યા ?
હવામાન નિષ્ણાત Paresh Goswami એ જણાવ્યું કે 27 મે થી 29 મે સુધી છૂટા છવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે. જોકે South Gujarat ના તમામ જિલ્લાઓની અંદર આની તીવ્રતા વધુ છે. ખાસ કરીને દક્ષિણના વિસ્તારમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ થોડુંક વધારે જોવા મળશે. ત્યારબાદ 30 અને 31 તારીખે વરસાદની તીવ્રતામાં ઘટાડો થઈ જશે. ધીમે ધીમે વાતાવરણ ખુલ્લું થઈ જશે. વરસાદના વિરામ બાદ ઉનાળું પાક જે સાચવવાના હોય એ સાચવવા માટેનો એક ચોક્કસ સમય મળી જવાનો છે.