Visavadar: Varun Patel ના ટ્વીટથી ખળભળાટ, નિશાન Ganesh Gondal કે Kirit Patel…

varun patel

Visavadar: Varun Patel ના ટ્વીટથી ખળભળાટ, નિશાન Ganesh Gondal કે Kirit Patel…

 

સોશિઅલ મીડિયાના માધ્યમ થી પાટીદાર સમાજના આગેવાન એવા વરુણ પટેલે એક ટ્વીટ કરી હતી. જેમાં તેઓ પાટીદાર સમાજની મિટિંગ માટે આ યોગ્ય સમય છે કે નહિ એ પૂછી રહ્યા છે.

ત્યારબાદ ન્યુઝરૂમ સાથેની વાતમાં Varun Patel એ જણાવ્યું કે અમે  ચિંતન કરી અને પછી નિર્ણય કરીશું. દરેક વસ્તુ કરવા માટે પહેલા એકવાર એકત્રિત થઈ અને વાતચીત કરવી જોઈએ. સમાજના મુખ્ય પ્રવાહના માણસોને સમાજના સામાન્ય માણસોને બધાને એમાં જોડવા. જેથી કોઈ પણ જગ્યાએ કોઈને એકલા લડવાનું ના આવે. જ્યાં લડવાનું આવે ત્યાં આખો સમાજ સામૂહિક લડે. પાટીદાર સમાજને છેલ્લા છ મહિનાથી જુઓ તો ઘણા બધા પ્રશ્નો છે. ગોંડલમાં  પણ ઘણી બધી જગ્યાએ સમાજ આવો સંઘર્ષ કરી રહ્યો છે . મેં એક અભિપ્રાય લેવાનો પ્રયત્ન કર્યો છે, આ બેઠક કરવી જોઈએ એના માટે આ યોગ્ય સમય છે? અને સમાજમાં એક  યુનિટીની ભાવના જળવાઈ રહે એ જરૂરી છે. એના માટે સમય અંતરે યોગ્ય સમયે મળતા રહેવું પણ ખૂબ જરૂરી છે. આવનારા દિવસોમાં પાટીદાર સમાજને ક્યાંય પણ પ્રશ્નો નળે નહી, પાણી પહેલા પાળ બાંધવા માટે આ આખી વાત છે.

 

આ પણ જુઓ-

Jayesh Radadiya: જનતાના મુદ્દા કરતા પદની ચર્ચા!

Scroll to Top