ગોપાલ ઈટાલિયા Visavadar ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. ભારતીય જનતા પાર્ટીમાંથી Kirit Patel અને સામે કોંગ્રેસની તરફથી Nitin Ranpariya તમામ એ રાજકીય પક્ષે મેદાને ઉતરી ચૂક્યા છે. જો કે Gopal Italia એ લગભગ બે મહિનાથી ત્યાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તેમના સમર્થનમાં ગુજરાતની આખી આમ આદમી પાર્ટી સુરતના એ તમામ કોર્પોરેટરો એ તમામ લોકોએ તનતોડ મહેનત કરી રહ્યા છે. જો કે કિરીટ પટેલનું અને નિતિન નાણપરિયાનું નામ એ છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી કોંગ્રેસ અને ભાજપના પણ મોટા ભાગના ગુજરાતના મોટા નેતાઓ વિસાવદરની અંદર ધામા નાખી ચૂક્યા છે. જો કે હવે આ તમામની વચ્ચે Kshatriya Samaj પણ હવે મેદાને આવ્યો છે.
કરણી સેનાના જામનગરના પ્રમુખ શક્તિસિંહ જાડેજા દ્વારા ગોપાલ ઇટાલિયાને સમર્થન કરી અને ગોપાલ ઈટાલિયાના તરફેણમાં લોકોને અને ક્ષત્રિય સમાજના લોકોને મતદાન કરવા માટે તેમને આહ્વાન કર્યું. ક્ષત્રિય સમાજના આહ્વાનથી હવે વિસાવદરની અંદર એ મામલો મેદાને છે કે વિસાવદરના પાટીદાર મતદારોએ સૌથી વધારે છે. ત્યારબાદ અલગ અલગ જ્ઞાતિગત સમીકરણોના આધારે વિસાવદર અને ભેંસાણ વિસ્તારની અંદર મતદારો છે. એમાં પણ ક્ષત્રિય સમાજ હવે મેદાને આવતા વિસાવદરમાં જંગ-એ-એલાન જેવો માહોલ છે. શું કહ્યું શક્તિસિંહ જાડેજાએ સાંભળો આ વીડિયોમાં.
આ પણ વાંચો – Visavadar: કિરીટ પટેલે કહ્યું “ઝેર પી ને મરી જઈશ પણ…”