Visavadar વિધાનસભાની પેટાચૂંટણીને બરાબરનો રાજકીય રંગ જામ્યો છે. અત્યાર સુધી તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે માત્ર શાબ્દિક પ્રહાર થતા હતા. જોકે, હવે મામલો ગાળાગાળી અને પથ્થરમારા સુધી આવી ગયો હોય એવા આક્ષેપ થઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર Gopal Italia એ ગંભીર આક્ષેપ કર્યો છે કે, વિસાવદરના જીવાપરા વિસ્તારમાં યોજાયેલી રાત્રી સભા દરમિયાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવાનો પ્રયાસ અને ગાળાગાળી કરી છે.
આ હુમલાને લઈને આમ આદમી પાર્ટીના નેતા Yuvrajsinh Jadeja એ ગોપાલ ઇટાલિયાને સમર્થન આપતાં જણાવ્યું કે, જીવાપરાની સભામાં અસામાજિક તત્વો મનમાનીથી બોલી રહ્યાં હતાં અને કાકરીચાળો પણ કર્યો હતો. અહીં લોકશાહી ન ચાલતી હોવાનું લાગી રહ્યું છે. પરંતુ આવનાર દિવસોમાં વિસાવદરની જનતા આવી હરકતોનો જવાબ જરૂર આપશે.
આ પણ વાંચો – Visavadarમાં Chaitar Vasava મેદાને, નવું કૌભાંડ આવશે સામે?
આ પણ વાંચો – Visavadarમાં ભાજપના Rajesh Chudasama મેદાને, નેહડાની મુલાકાતે
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, સભા દરમિયાન ભાજપના ઉમેદવાર Kirit Patel ના ખાસ સમર્થક, તેમજ વિસાવદરના ભાજપ કોર્પોરેટર નાસીર અને તેમના ગુંડાઓએ તેમના પર પથ્થરમાર્યો છે અને કોર્પોરેટર કમલેશ રીબડીયાના પુત્રે ગાળાગાળી કરી હતી છે. ઇટાલિયાએ જણાવ્યું કે, ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે