વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની તારીખ જાહેર થતા રાજકીય પક્ષોએ સક્ષમ ઉમેદવાર શોધવા માટે શરૂઆત કરી દીધી છે. હાલ આ બેઠક પર ત્રિ-પાખિયો જંગ જામશે. ત્યારે જુનાગઢ (Junagadh) જિલ્લા ભાજપ (BJP) કાર્યાલય પર ઉમેદવાર નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
વિસાવદર (Visavadar) બેઠકની પેટાચૂંટણીમાં ભાજપમાંથી પ્રભારી તરીકે જયેશ રાદડિયા ( Jayesh Radadiya) અને કમલેશ મીરાણી (Kamlesh Mirani) ને જવાબદારી સોપવામાં આવી છે. હાલમાં જુનાગઢ (Junagadh) જિલ્લા ભાજપ (BJP) કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ સેન્સ બેઠકમાં નિરીક્ષક તરીકે રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારીયા, જામનગરનાં પૂર્વ મેયર અમીબેન પારેખ અને અનુ. જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમ ગેડિયા ઉપસ્થિત રહ્યા હતા. નિરીક્ષકો પાસે ઉમેદવારની પસંદગી કરવા ખૂબ દિવસોમાં બાકી રહ્યા છે. સેન્સ પૂરી થયા બાદ રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર નક્કી કરશે.
પેટાચૂંટણીમાં સેન્સ મામલે હર્ષદ રિબડીયા (Harshad Ribadiya) ની પ્રતિક્રિયા..
આ સેન્સ પ્રક્રિયામાં પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ પણ દાવેદારી નોંધાવી છે. દાવેદારી નોંધાવ્યા બાદ હર્ષદ રિબડીયા (Harshad Ribadiya) એ કહ્યુ હતુ કે પાર્ટી કોઈ પણને ટિકીટ આપે, અમે બધા ભાજપ (BJP) જીતે એ માટે પ્રયાસ કરીશુ. અને આ બેઠક 100 ટકા ભાજપ (BJP) જ જીતશે આ પ્રમાણે વાત કરી હતી.
પેટાચૂંટણીમાં સેન્સ મામલે ભૂપત ભાયાણીની પ્રતિક્રિયા..
આ સેન્સ પ્રક્રિયામાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ દાવેદારી નોંધાવી છે. ભૂપત ભાયાણીએ દાવેદારી નોંધાવતાની સાથે જ ભાજપ (BJP) જંગી બહુમતી જીતશે એવો દાવો કર્યો છે. અત્યાર સુધીમાં કોઈ નથી જીત્યુ એવી લીડથી ભાજપ (BJP) “ન ભૂતો, ન ભવિષ્યતિ” ની લીડથી જીતશે.
વિસાવદર (Visavadar) પેટાચૂંટણીની બેઠક પર ભાજપ (BJP) માંથી ચૂંટણી લડવા માટે હર્ષદ રિબડીયા (Harshad Ribadiya), ભૂપત ભાયાણી (Bhupat Bhayani), ઘનશ્યામ સાવલિયા (Ghanshyam Savaliya), વિરેન્દ્ર સાવલિયા (Virendra Savaliya), અને રામભાઈ સોજીત્રા (Rambhai Sojitra) નું નામ ચર્ચામાં છે.
જો કે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ આ તમામ નામો પર ચર્ચા કરી કોના નામ પર મહોર લગાવશે એ તો સમય આવતા જ ખબર પડશે.