Visavadarમાં Chaitar Vasava મેદાને, નવું કૌભાંડ આવશે સામે?
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય Chaitar Vasavaએ VISAVADAR વિધાનસભાના ઉમેદવાર Gopal Italiaના સમર્થનમાં ભેસાણ તાલુકા ના ગામડાઓમાં આગેવાનોના ઘરે ખાટલા બેઠક કરી સ્થાનિકો સાથે અનેક બાબતો પર ચર્ચા કરી, જે દરમિયાન એક “બા” સાથે મુલાકાત થઈ જેમણે જણાવ્યું કે પોતાના દિકરાના નામે 22 લાખ ના ધિરાણ ની નોટિસ આવતા દીકરા ને આઘાત લાગ્યું અને અટેક આવી મૃત્યુ પામ્યા.
-પંદર, વીસ વર્ષ પહેલા મૃત્યુ પામેલા લોકોના નામે લોન લીધી.
-જેમના ખાતે જમીન જ નથી એમના નામે લોન લીધી.
-જેમની પાસે એકદમ ઓછી જમીન છે એમના નામે લાખોની લોન લીધી.
-જે વ્યક્તિનું બેંકમાં ખાતું જ નથી એમના નામે લોન લીધી.
સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું કે સહકારી મંડળીના કૌભાંડથી કંટાળીને અનેક ખેડૂતો એ આત્મહત્યા કરી છે, અંદાજે 100 થી 200 કરોડનું લોન કૌભાંડ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કરવામાં આવેલ છે.ભાજપના ઉમેદવાર અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલ જવાબ આપે કે, આત્મહત્યાનો દોષિત કોણ?
આ પ્રશ્ન કર્યો છે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને.
આ પણ વાંચો-Visavadarમાં ભાજપ નેતાને પ્રચાર દરમિયાન કડવો અનુભવ થયો