Viksit Krishi Sankalp Abhiyan: ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન

Viksit Krishi Sankalp Abhiyan

ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ICAR અને રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞોના સહયોગથી આ Viksit Krishi Sankalp Abhiyan 29 મે થી 12 જૂન સુધી દેશભરમાં યોજાવાનું છે. મુખ્યમંત્રી Bhupendra Patel એ ગુજરાતમાં આ અભિયાનનો પ્રારંભ આણંદ કૃષિ યિનિવર્સિટીથી કરાવ્યો હતો. ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત 235 તાલુકાઓના 2951 ક્લસ્ટર થકી 3.50 લાખથી વધુ ખેડૂતો સુધી સીધા પહોંચવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાન દરમિયાન રાજ્યના 30 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને 04 કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ગામડે-ગામડે ફરીને ખેડૂતોની મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, આધુનિક અને જલવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ, નવા સંશોધિત બિયારણો, નેનો ફર્ટિલાઇઝર, સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ ઉપરાંત જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવા જેવી કૃષિલક્ષી જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતો હિતલક્ષી સહાય યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવશે.

આ પણ વાંચો – Gondal માં પાટીદાર અને દલિત સમાજ સાથે મળી 2 લાખ લોકોનું સંયુક્ત મહાસંમેલન કરશે ન્યૂઝ રૂમને મળ્યો નનામો પત્ર

આ પણ વાંચો – દાહોદ PM કાર્યક્રમ બાદ સચિવાલયમાં પણ મંત્રી Bachu Khabad ને ‘નો એન્ટ્રી’,મંત્રી પદેથી હકાલપટ્ટીના સંકેત

Anand Agricultural University ઝોનમાં સમાવિષ્ટ 09 જિલ્લાઓના 793 ગામોના અંદાજે 01 લાખ 02 હજારથી વધુ ખેડૂતો, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 07 જિલ્લાના 465 ગામોના 80 હજાર ખેડૂતો, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગતના 10 જિલ્લાના 933 ગામોના 1.20 લાખ ખેડૂતો અને નવસારી કૃષિ યુનિવર્સિટી ઝોનના 07 જિલ્લામાં 760 ગામોના 71 હજારથી વધુ ખેડૂતો એમ સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને આ અભિયાન હેઠળ આવરી લેવાનું સઘન આયોજન રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે કર્યું છે. રાજ્યના 2951 ગામોના ક્લસ્ટરથી સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને ૫૫ જેટલી તજજ્ઞોની ટિમ વિકસિત કૃષિ દ્વારા અદ્યતન ખેતીથી ખેડૂત સમૃદ્ધિ માટે માર્ગદર્શન આપશે.

Scroll to Top