Gambhira Bridge: બ્રિજ તૂટતા લોકોના નીપજ્યા મોત

Gambhira Bridge

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો Gambhira Bridge તૂટતા વાહનો નદીમાં પડ્યા છે. ઘટના બનતાની સાથે જ લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. બ્રિજ તૂટતા 4 વાહન મહીસાગર નદીમાં પડ્યા છે અને 2 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકોનું રેસ્કયુ કરાયું છે. ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે. પાદરા તાલુકાના મુજપુર પાસેના ગંભીરા બ્રિજ પર ભંગાણના કારણે બે ટ્રક, એક પિકઅપ વાન સહિત ચાર વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા.

આ પણ વાંચો – ચૈતર વસાવા અને પી.ટી જાડેજાના સમર્થનમાં Shankarsinh Vaghela મેદાને આવી પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

આજે સવારે Anand અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો. Anand જિલ્લાને વડોદરા જિલ્લાથી જોડતો મહત્વનો બ્રિજ વચ્ચેથી જ તૂટી પડ્યો હતો. વર્ષો જૂનો બ્રિજ લાંબા સમયથી ખખડધજ હાલતમાં હતો. તંત્ર દ્વારા માત્ર આ બ્રિજનું સમારકામ જ કરવામાં આવતું હતું. આ બ્રિજ તૂટી પડતાં આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે.

 

Scroll to Top