(Visavadar) વિસાવદરમાં વર્ચસ્વની લડાઈમાં ઈટાલિયાને જીતાડવા આખી AAP પાર્ટી ઉતરશે મેદાને..
Visavadar : છેલ્લા કેટલાય સમયથી વિસાવદર (Visavadar) અને કડી (Kadi) પેટાચૂંટણી ચર્ચાનો વિષય બની છે. આ બંને બેઠક ભાજપ, કોંગ્રેસ અને આપ નો પર ત્રિ-પાખિયો જંગ નક્કી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર શોધવા માટે અસમંજસની સ્થિતિમાં છે. જ્યારે આપ એ બંને બેઠકો પરનાં ઉમેદવાર નક્કી કરી લીધા છે. આમ આદમી પાર્ટીમાંથી વિસાવદર (Visavadar) ની બેઠક પરથી ગોપાલ ઈટાલિયા (Gopal Italiya) તો કડી બેઠક પરથી જગદીશ ચાવડા (Jagdish Chavda) ના નામ પર પાર્ટીએ મહોર લગાવી છે.
વિસાવદર (Visavadar) બેઠક પર ભાજપ અને કોંગ્રેસ માટે ઉમેદવાર નક્કી કરવા માથાનાં દુખાવા સમાન છે. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ચૂંટણીનું ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દીધી છે. ગોપાલ ઈટાલિયા (Gopal Italiya) 31 મે ના રોજ સવારે વિસાવદર (Visavadar) બેઠક માટે પેટાચૂંટણી નું ફોર્મ ભરવા માટે જશે.
ગોપાલ ઈટાલિયાનાં જણાવ્યા મુજબ..
31 મે ના રોજ ફોર્મ ભરવા માટે જશે. આ ફોર્મ ભરતા પહેલા “જન આશિર્વાદ યાત્રા” કે જે વિસાવદર (Visavadar) ખાતે સરદાર ચોકથી નીકળશે. આ દરમિયાન આમ આદમી પાર્ટીનાં સ્થાપક અરવિંદ કેજરીવાલ, દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી આતિશી, પંજાબનાં મુખ્યમંત્રી સરદાર ભાગવંતમાન, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ગુજરાતનાં સંગઠનમંત્રી મનોજ સોરઠીયા ઉપસ્થિત રહેશે.