Surendranagar વઢવાણમાં પણ સુરત Grishma Murder Case જેવો જ બનાવ બન્યો છે. વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી Payal Solanki દુધની ડેરીમાં કામ કરતી હતી. 18 મેના રોજ સવારે 7:30ની આસપાસ તે કામ પર જવા ઘરેથી નીકળી હતી. ત્યારે રસ્તામાં હાથમાં છરી લઈ ઉભેલા યુવાને યુવતી પર છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી હતી. આ બનાવની જાણ થતા જ વઢવાણ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. બીજી તરફ હત્યા કરી ફરાર થયેલો યુવાન દુધરેજ કેનાલમાં ઝંપલાવે તે પહેલા એ ડીવીઝન પોલીસે તેને ઝડપી લીધો હતો.
આજે ટેકનોલોજીના યુગમાં યુવક-યુવતીઓ સામાન્ય આકર્ષણને પણ પ્રેમ સમજી બેઠા છે. ત્યારે આવા જ એક પ્રેમ પ્રકરણમાં વઢવાણમાં આ હત્યા થઈ હોવાનું માનવામાં આવે છે. 19 વર્ષીય પાયલ સોલંકી ઘરેથી ચાલીને કામ પર જવા નીકળી હતી. ત્યારે ફાટસર વિસ્તારમાં લાલ બંગલા પાસે રસ્તામાં ઉભેલા Aman Rathod એ પાયલ પર આડેધડ છરીના ઘા ઝીંક્યા હતા. આ સમયે દેકારો થતા અમન ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જયારે પાયલને લોહીલુહાણ હાલતમાં દવાખાને લઈ જવાતા કરૂણ મોત થયું હતું.
આ અંગેની વાત વહેતી થતા મોટી સંખ્યામાં યુવતીના પરિવારજનો અને સગા-સબંધીઓ દવાખાને દોડી ગયા હતા. યુવકની તાત્કાલીક ધરપકડ કરવા અને તેનો ફાટસર વિસ્તારમાં ફૂલેકુ કાઢવા માંગ કરી હતી. હત્યાનો બનાવ બનતા વઢવાણ PI એ. આર. પટેલ સહિતના પોલીસકર્મી ઘટનાસ્થળે અને દવાખાને દોડી ગયા હતા. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. બીજી તરફ આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતીમાન કરાયા હતા.
આ પણ વાંચો – Banni Gajera: વધુ એક ફરિયાદ, એક મહિનામાં 5મી ફરિયાદ થઈ દાખલ
આ પણ વાંચો – Alpesh Kathiriya: Gondal પોલીસને ધમકી, હર્ષ સંઘવીને આપશે રિપોર્ટ
આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈને દુધરેજ કેનાલ તરફ પહોંચ્યો હોવાની બાતમી મળતા ડીવીઝન PI આર. એમ. સંગાડાને મળી હતી. સર્વેલન્સ ટીમના ધનરાજસિંહ વાઘેલા સહિતની ટીમે આરોપી અમન કેનાલમાં ઝંપલાવી આપઘાત કરે તે પહેલા તેને ઝડપી લીધો હતો. સમગ્ર બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.