Surat; 32 વર્ષ પછી પોલીસને ખબર પડી કે આ તો નકલી છે.

Surat 32 વર્ષ પહેલાં PSI તરીકે નિમણૂક પામેલા બી.એમ.ચૌધરી કે જેઓ હાલમાં સુરતમાં K ડિવિઝનમાં ACP તરીકે ફરજ બજાવતા હતા. જેને ગુજરાતનાં DGP વિકાસ સહાયએ ફરજમુક્ત (ડિસમિસ) કર્યા  છે.

Surat શહેરનાં K ડિવિઝનમાં ACP તરીકે ફરજ બજાવતા બી.એમ.ચૌધરીને ગત તા.21 મે બુધવારનાં રોજ ફરજ પરથી બરતરફ કરી ફરજમુક્ત કર્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ACP બી.એમ.ચૌધરી વિરુદ્ધ થોડા સમય પહેલા એક અરજી મળી હતી. જેમાં ACP બી.એમ.ચૌધરીએ 32 વર્ષ પહેલા જ્યારે તે PSI તરીકે ભરતી થયા તે વખતે જાતિનું પ્રમાણપત્રનું જે ડોક્યુમેન્ટ આપ્યુ હતુ તે નકલી હતુ. તેના આધારે ગૃહ વિભાગે તેની ચકાસણી કરતાં જાતિનાં પ્રમાણપત્ર નકલી હોવાનું સાબિત થતા DGP વિકાસ સહાયે ગૃહ વિભાગની સૂચના બાદ ACP બી.એમ.ચૌધરીને ફરજમુક્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

બી.એમ.ચૌધરી વર્ષ-1993માં સીધા PSI તરીકે જોડાયા હતા. ત્યાર પછી વર્ષ-2003માં (PI) પોલીસ ઈન્સ્પેક્ટર તરીક અને વર્ષ-2019માં ACP (આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ) તરીકેનું પ્રમોશન મેળવ્યુ હતુ. આમ, જાતિનાં નકલી પ્રમાણપત્ર પર બી.એમ.ચૌધરી એ 32 વર્ષ સુધી પોલીસખાતામાં નોકરી કરી આ દરમિયાન ઘણા કેસોની તપાસ પણ કરી જ હશે. પરંતુ હવે પોતે જ ફરજમુક્ત થયા છે ત્યારે જે તે વખતે કરેલા કેસની તપાસનું શું થશે?  તે સવાલ ઉભા થાય છે.

બી.એમ.ચૌધરી વિરુદ્ધ 32 વર્ષે કેમ તપાસ થઈ?

ACP બી.એમ.ચૌધરીની વિરુદ્ધ 32 વર્ષે કોણે અરજી કરી નકલી ડોક્યુમેન્ટની માહિતી આપી? 32 વર્ષે બી.એમ.ચૌધરી વિરુદ્ધ નકલી ડોક્યુમેન્ટ વિશે માહિતી આપવાની જરૂર કેમ પડી? બી.એમ.ચૌધરી જ્યારે PSI તરીકે ભરતી થયા તે વખતે શું ડોક્યુમેન્ટની ચકાસણી નહોતી કરાઈ? આ તમામ બાબતોને લઈને તંત્ર પર સવાલ ઊભા થાય છે.

 

Scroll to Top