Sukhpreet Kaur: મોડેલની આત્મહત્યાનો ભેદ ઉકેલાયો, મળી 1 અરજી

સુરતમાં સારોલીના કુંભારિયા ગામ પાસેના સારથી રેસિડેન્સીમાં રહેતી મધ્યપ્રદેશની 19 વર્ષીય મોડેલ Sukhpreet Kaur એ 2 મે, 2025ના રોજ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૃતક Sukhpreet Kaur પ્રેમી Mahendra Rajput સાથે Live-In માં રહેતી હતી. મહેન્દ્ર રાજપૂત તેને માનસિક-શારીરિક ત્રાસ આપતો હોવાનું સામે આવતાં મોડેલના પિતા દ્વારા મહેન્દ્ર રાજપૂત વિરુદ્ધ દુપ્રેરણાનો ગુનો નોંધાવવામાં આવ્યો છે. મોડેલે લખેલી એક અરજી પણ સામે આવી છે, જેમાં લિવ-ઇનમાં રહેતો પ્રેમી જ તેને ઘરમાં ગોંધી રાખી હાથ-પગમાં બ્લેડના કાપા મારતો હતો. આ સાથે પગમાં ડામ પણ આપતો હોવાનું જણાવ્યું છે. આ સાથે જ તેને સતત બ્લેકમેલ કરતો હોવાનું પણ અરજીમાં લખેલું છે.

Sukhpreet Kaur એ અરજીમાં શું લખ્યું?

હું સુખપ્રીત સંધુ, હું સુરતમાં મુખ્ય મોડેલિંગ એજન્સીમાં મોડેલ તરીકે કામ કરતી હતી, ત્યાં 6ઠ્ઠી ઓગસ્ટે મારી મુલાકાત એક છોકરા મહેન્દ્ર રાજપૂત સાથે થઈ. અમે સારાં મિત્રો બની ગયાં અને લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યાં. લગભગ એક મહિના પછી તેણે મને ત્રાસ આપવાનું શરૂ કર્યું, હું તેનાથી નારાજ થઈ ગઈ અને તેને છોડી દીધો, પરંતુ તે મને સતત બ્લેકમેલ કરતો હતો કે મારા અંગત ફોટો ઇન્ટરનેટ પર અપલોડ કરીશ. જાનથી મારી નાખવાની ધમકીઓ, અપશબ્દો વગેરે અને આ બહાને તે મને બ્લેકમેઇલ કરતો રહ્યો. 19 ડિસેમ્બરના રોજ તેણે મને તેના ફ્લેટમાં બોલાવી અને મને એક દિવસ સુધી ગોંધી રાખી અને મારા હાથ, પગમાં બ્લેડના ઘા માર્યા અને મારપીટ કરી હતી. મારા પગમાં ડામ આપ્યા હતા. હું ત્યાંથી ભાગીને મારા ઘરે આવી હતી. આ બધા પછી તેણે મને ધમકી આપવાનું શરૂ કર્યું કે જો મેં આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ અને તારા અંગત ફોટો ઈન્ટરનેટ પર અપલોડ કરી દેશે. તેણે મને આત્મહત્યા કરવા માટે પણ ઉશ્કેરી હતી.

Sukhpreet Kaur

Sukhpreet Kaur આત્મહત્યા કેસનું ઘટનાક્રમ?

મધ્યપ્રદેશના શિવપુરી ખાતે રહેતી 19 વર્ષીય મોડેલ Sukhpreet Kaur એપ્રિલના અંતમાં સુરત આવી હતી. સુરતમાં સારોલી વિસ્તારમાં આવેલા કુંભારિયા ગામના સારથી કોમ્પ્લેક્સના એક રૂમમાં પોતાની ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. સુરતમાં Modelling કામ અર્થે આવેલી સુખપ્રીત કૌરે ગત 2 મે, 2025ના રોજ ઘરમાં એકલી હતી, એ દરમિયાન પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પોતાની બહેનપણીઓ જ્યારે રૂમ પર આવી ત્યારે Sukhpreet Kaur એ દરવાજો નહીં ખોલતાં તેમણે પાડોશીઓને બોલાવી દરવાજો તોડ્યો હતો.

આ પણ વાંચો – Surendranagar: વઢવાણમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવો જ બનાવ

આ પણ વાંચો – Alpesh Kathiriya: Gondal પોલીસને ધમકી, હર્ષ સંઘવીને આપશે રિપોર્ટ

સુખપ્રીતે Suicide કરી લેતાં સારોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની સ્મિમેર હોસ્પિટલમાં ખસેડી હતી. સુખપ્રીતની આત્મહત્યાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાના 18 દિવસ બાદ પિતા મધ્યપ્રદેશથી સુરત આવ્યા હતા અને તેમને દીકરી સુખપ્રીતના સામાનમાંથી એક અરજી મળી આવી હતી, જેમાં તમામ હકીકત જાણીને સારોલી પોલીસમાં ડિંડોલી વિસ્તારમાં રહેતા મહેન્દ્ર રાજપૂત નામના યુવક વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. Saroli Police એ મહેન્દ્રને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

Scroll to Top