Smriti Mandhana અને પલાશ મુચ્છલના અટવાયા લગ્ન

Smriti Mandhana

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ-કેપ્ટન Smriti Mandhana અને સંગીતકાર-ડિરેક્ટર Palash Muchhal ના આજે મહારાષ્ટ્રના સાંગલીમાં થનારા લગ્ન હાલ માટે સ્થગિત કરવામાં આવ્યા છે. Smriti Mandhana નાં પિતાની તબિયત ખરાબ થવાને કારણે પરિવારએ આ નિર્ણય લીધો હોવાનું તેમની મેનેજર તુહિન મિશ્રાએ માહિતી આપી છે. મિડિયા રિપોર્ટ્સ મુજબ, સ્મૃતિ મંધાનાના પિતાને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

લગ્ન પહેલાં સાંગલીના સમડોલી રોડ પર આવેલા મંધાણા ફાર્મ હાઉસમાં મંગળવારની રાતે સંગીત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમના અનેક ફોટા અને વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી. સંગીત સમારોહમાં સ્મૃતિ મંધાનાએ પલાશ મુચ્છલ માટે ખાસ ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું. આ પરિવાર, મિત્ર વર્તુળ અને ક્રિકેટરની સાથી ખેલાડીઓએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી.

આ પણ વાંચો – ગણેશ Gondal ની પૂછપરછ થતા રતનલાલ જાટે શું કહ્યું?

પરિવાર નજીકના સૂત્રો જણાવે છે કે લગ્ન સંપૂર્ણ રીતે રદ કરવામાં આવ્યા નથી. સ્મૃતિના પિતા સ્વસ્થ થયા પછી નવી તારીખ જાહેર થશે. ચાહકો સોશિયલ મીડિયા પર સતત સ્મૃતિના પરિવારની તબિયત માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે. સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલની મુલાકાત 2019માં મુંબઈમાં એક પારસ્પરિક મિત્ર દ્વારા થઈ હતી. મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થઈ અને 2024માં બંનેએ જાહેરમાં પોતાના સંબંધની જાહેરાત કરી. પલાશે સ્મૃતિને એક અનોખી રીતથી પ્રપોઝ કર્યું હતું. સ્મૃતિની આંખો પર પટ્ટી બાંધીને તેને નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ લઈ ગયો, જ્યાં સ્મૃતિએ ભારતીય મહિલા ટીમ માટે વર્લ્ડ કપમાં યાદગાર પરફોર્મન્સ આપી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

Scroll to Top