Karnataka Former DGP Murder: કર્ણાટકના ભૂતપૂર્વ DGP ઓમ પ્રકાશ(Om Prakash)ના મૃત્યુના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.તે 20 એપ્રિલના રોજ બેંગલુરુ(Bengaluru)માં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર,બપોરે તેમની પત્ની સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન,તેની પત્નીએ તેના પર મરચાંનો પાવડર ફેંક્યો,તેને બાંધી દીધા અને પછી છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી.માહિતી પ્રમાણે,68 વર્ષીય ઓમ પ્રકાશ પર પણ કાચની બોટલથી હુમલો કરવામાં આવ્યો હતો.
પત્નીએ બીજા પોલીસ કર્મચારીની પત્નીને ફોન કર્યો હતો
હત્યા પછી ઓમ પ્રકાશની પત્નીએ બીજા પોલીસ કર્મચારીની પત્નીને ફોન કરીને કહ્યું કે,તેણે તેના પતિની હત્યા કરી છે.આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઓમ પ્રકાશની પત્ની અને તેની પુત્રીને કસ્ટડીમાં લઈ લીધી હતી.આ બાદ,પોલીસે માતા અને પુત્રીની લગભગ 12 કલાક પૂછપરછ કરી હતી.
ઝઘડો વધતાં કરી નાખી હત્યા
રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે,ઓમ પ્રકાશ અને તેમની પત્ની વચ્ચે જમીન-સંપત્તિ મામલે વિવાદ થયો હતો.ઓમ પ્રકાશે પોતાની એક સંપત્તિ કોઈ સંબંધીના નામે કરી દીધી હતી.જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો.આ ઝઘડો વધતાં બંને વચ્ચે મારામારી થઈ હતી.બાદમાં પત્નીએ પતિની આંખમાં મરચાનો પાવડર નાખી તેમને દોરડા વડે બાંધી દીધા હતા.અને છાતી તથા પેટના ભાગે ચપ્પાના ઘા મારી હત્યા કરી હતી. પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે,શું તેની પુત્રી પણ આ ઘટનામાં સામેલ હતી.ઓમ પ્રકાશના પુત્રની ફરિયાદ પર પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ ચાલુ છે.
પોલીસને સવારે 4 વાગ્યે માહિતી મળી હતી
બેંગલુરુના એડિશનલ પોલીસ કમિશનર વિકાસ કુમારે જણાવ્યું હતું કે,પોલીસને સવારે લગભગ 4 વાગ્યે માહિતી મળી હતી કે,એક નિવૃત્ત અધિકારીનું મૃત્યુ થયું છે.ઓમ પ્રકાશ 1981 બેચના આઈપીએસ (ભારતીય પોલીસ સેવા) અધિકારી હતા. માર્ચ 2015માં તેમને કર્ણાટકના પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ અગાઉ,તેઓ ફાયર,ઈમરજન્સી સર્વિસીસ અને હોમગાર્ડ વિભાગના વડા તરીકે પણ કામ કરી ચૂક્યા છે.