મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામ પર હજુ પણ સસ્પેન્સ છે. શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ ખુદને મુખ્યમંત્રીની રેસમાંથી બાકાત રાખ્યા છે અને બીજેપીના સીએમ સ્વીકારવા માટે પણ સંમતિ દર્શાવી છે. આ પછી ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસનો સીએમ બનવાનો માર્ગ સરળ લાગે છે, પરંતુ જ્યાં સુધી ભાજપમાં જાહેરાત નહીં થાય ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં.
શિંદે મુખ્યમંત્રીની રેસમાંથી OUT
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ બુધવારે મોડી રાતે મુલાકાત કરી હતી. જેણે ફરીથી CMના નામ પર સસ્પેન્સ વધારી દીધું છે, કારણ કે પીએમ મોદી અને શાહ તેમના નિર્ણયોથી હંમેશા સૌને આશ્ચર્યમાં મુકી દે છે. મહારાષ્ટ્રમાં બીજેપી નવા સીએમના નામને લઈને ખૂબ જ હિલચાલ કરી રહી છે. ચૂંટણીમાં શાનદાર પરિણામો બાદ ભાજપ દરેક રાજકીય સમીકરણોને વ્યવસ્થિત રાખવા માંગે છે. એકનાથ શિંદે પીછેહઠ કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસનો સીએમ બનવાનો રસ્તો સરળ જણાતો હતો.
નવી CMને લઈ રાજકીય મૂંઝવણ ઊભી થઈ
ભાજપની ટોચના નેતાઓ સાથે આજે દિલ્હીમાં શિંદે-ફડણવીસ અને અજિત પવારની બેઠક પહેલા વિનોદ તાવડે અને અમિત શાહની મુલાકાત થઈ હતી. આ દરમિયાન તાવડેએ મહારાષ્ટ્રના રાજકીય સમીકરણને લઈને અમિત શાહને પ્રતિક્રિયા આપી, જેના કારણે નવી રાજકીય મૂંઝવણ ઊભી થઈ હોવાનું કહેવાય છે.અમિત શાહ અને વિનોદ તાવડે વચ્ચે લગભગ અડધો કલાક બેઠક ચાલી હતી. આ દરમિયાન તાવડેએ મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ અને નવી સરકાર બનાવવાના પ્રયાસો વિશે વાત કરી.
અમિત શાહે મહારાષ્ટ્રના નેતાઓ પાસેથી ફીડબેક લીધા
રાજ્યના રાજકીય સમીકરણો પર શિંદેના મુખ્યમંત્રી ન બનવાની અસર અંગે પ્રતિક્રિયા આપી. મહારાષ્ટ્રના મરાઠા મતદારો પર પડેલી અસર અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા. શિંદે-ફડણવીસ અને અજિત પવાર સાથેની બેઠક પહેલા અમિત શાહ સતત મહારાષ્ટ્રના નેતાઓ પાસેથી ફીડબેક લઈ રહ્યા છે અને નવા સીએમના નામે રાજકીય લાભ અને નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, શું વિનોદ તાવડેની પ્રતિક્રિયા ફડણવીસ માટે સીએમ બનવામાં મુશ્કેલી ઊભી કરશે?