Shaktisinh Gohil: ગોંડલ વિવાદમાં શક્તિસિંહની એન્ટ્રી

Shaktisinh Gohil

ગોંડલમાં સામાજિક અને રાજકીય ઘમાસાણ અટકવાનું નામ નથી લેતું. ત્યારે હવે આ ઘમાસાણ વચ્ચે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ Shaktisinh Gohil નું નિવેદન સામે આવ્યું છે. તેમણે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો છે.  પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કરવાનો શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો. જેમાં તેમણે કહ્યું કે, Gondal માં Congress ના નિર્દોષ કાર્યકર્તાઓને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે.

થોડાક દિવસ પહેલા કોંગ્રેસના કાર્યકર્તા અને વકીલ Dinesh Patar અને Piyush Radadiya એ ગોંડલ પોલીસ પર આરોપ લગાવ્યો હતો. તેઓએ એવો દાવો કર્યો હતો કે પોલીસના ટોર્ચરના કારણે બંનેની તબિયત લથડી હતી. મોડી રાત્રે પિયુષ રાદડિયા અને દિનેશ પાતર હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ અંગે દિનેશ પાતરનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના પછી ફરી રાજકોટ જિલ્લા પોલીસ શંકાના દાયરામાં આવી હતી.

આ પણ વાંચો – Gondal Police: દિનેશ પાતર અને પિયુષ રાદડિયા પર થર્ડ ડિગ્રી?


આ પણ વાંચો – Gondal: Nikhil Donga બાદ Banni Gajera પર લાગશે GUJCTOC?

શક્તિસિંહ ગોહિલે કહ્યું, “ગોંડલમાં ભાજપના બે જૂથો વચ્ચેની લડાઈ એ પરાકાષ્ઠાની લડાઈ છે. ભાજપના જ આ બે જૂથોની લડાઈ વચ્ચે માત્રને માત્ર ધ્યાન બીજે કેન્દ્રિત કરાવા માંગે છે. પોલીસનો દુરુપયોગ વ્યક્તિઓને ખોટા કેસમાં પકડવા માટે કરવામાં આવી રહ્યો છે. પોલીસ તંત્ર આ કાવતરામાં ભાગીદાર બની રહી છે. મને પોલીસને કહેવું છે કે પોલીસ પ્રજાના રક્ષક છે, ભક્ષક નથી. પોલીસે કોઈ રાજકીય પાર્ટીના નોકર નથી, જનતાના જનસેવક છે. હું ચોક્કસ કહીશ કે જે પોલીસ અધિકારીઓ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય એ મહેરબાની કરીને આ ધંધો ન કરે. કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે એને સજા કરવાનો અધિકાર એ ન્યાયાલયને છે. અને ન્યાયાલય ગમે તેવી સજા કરે આપણે બંધારણ અને કાયદાની જોગવાઈ છે. પોલીસને કોઈ અધિકાર નથી કે બેફામ રીતે લોકોને માર મારવાનો, લોકોને ગમે તેવા કેમિકલ પીવડાવવાના અથવા બીજી રીતે પરેશાન કરીને પોલીસ કસ્ટડીમાં બીજા બીજા નામ ખોલાવીને નિર્દોષ લોકોને હેરાન કરવાનું બંધ કરે.”

Scroll to Top