Gyan Prakash Swami ની અજ્ઞાનતા સામે જલારામ બાપાનો શું છે ઇતિહાસ જુઓ | Virpur Jalaram Bapa History

Gyan Prakash Swami ની અજ્ઞાનતા સામે જલારામ બાપાનો ઇતિહાસ સામે આવ્યો છે. જેમાં અનેક પ્રકારના ખુલાસા કરવામાં આવ્યા છે.વીરપુરમાં લોહાણા સમાજ અને રઘુવંશી સમાજ દ્વારા જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.જો જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુરમાં જલારામ બાપાના શરણોમાં આવી દંડવત કરી માફી નહીં માંગે તો અગામી સમયમાં રાજ્ય ભરમાં આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત તમામ જિલ્લામાં ધરણા પણ થશે. જ્યારે આજે વહેલી સવારથી વિવાદીત નિવેદન પર વીરપૂર સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે.જલારામ બાપુનો ઈતિહાસ ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો છે.જલારામ બાપુ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહ્યા હતા. અને ગુણાતીતાનંદ સ્વામિની ખુબ સેવા કરી હતી.સ્વામી જ્યારે વીરપુર ગયા ત્યારે જલારામ ભગતને જાણ થતા તેઓ સ્વામીને લેવા ગયા હતા.

Scroll to Top