- આક્ષેપોનો વિજય બાપુએ આપ્યો જવાબ
- સમગ્ર ઘટના પાછળ ચોક્કસ માણસો: મહંત વિજય બાપુ
- અમારી સંસ્થા ૨૫૦ વર્ષ જૂની: મહંત
- સમય આવશે ત્યારે જવાબ આપીશું: મહંત
સૌરાષ્ટ્રનું સૌથી વિખ્યાત આસ્થાનું કેન્દ્ર એવું સત્તાધાર (Satadhar) મંદિરનો વિવાદ સામે આવ્યો છે. સત્તાધારની ગાદીના વર્તમાન મહંત વિજયભગતના સગ્ગા મોટાભાઈ અને સરકારી વિભાગોમાં ઓડિટરની ટોચની પોસ્ટે રહી ચૂકેલા નિવૃત્ત અધિકારી નીતિન મોહનભાઈ ચાવડાએ તેના પર આક્ષેપ કર્યા હતા. હવે આ આક્ષેપના જવાબમાં મહંત વિજય બાપુએ મૌન તોડ્યું છે.
બાપુએ તપાસ કમિટી બેસાડવાની કરી માગ
મહંત વિજય બાપુએ મીડિયા સામે કહ્યું કે સમગ્ર ઘટના પાછળ ચોક્કસ માણસોનો હાથ છે. પૂર્વાશ્રમના નીતિન ભાઈ કોઈના વિચારોમાં આવીને બોલ્યા હશે. અમે સનાતન ધર્મની સેવા ખુલ્લા મેદાનમાં કર્યે છીએ. અમારો પ્રભાવ હાથ જોડીને ઉભો રહેવાનો છે. તેમણે વધુમાં કહ્યું સમગ્ર મામલે સરકાર સાથે મળી અથવા આગેવાનો સાથે રાખી તપાસ કમિટી બેસાડવાની માંગ કરી છે. પડકાર ફેકતા કહ્યું સમય આવશે ત્યારે જવાબ આપીશું.
પૂર્વાશ્રમના ભાઈ નીતિન ભાઈ ચાવડાએ આક્ષેપ કર્યા
આપાગીગાની જગ્યાના વર્તમાન મહંત વિજયબાપુ પર તેમના ભાઈએ કૌંભાડના આક્ષેપ કર્યા હતા. મોટા ભાઈ નીતિન ચાવડા સરકારી નિવૃત અધિકારી છે. મહંતના ભાઈએ CMને પત્ર લખી સતાધારની જગ્યાનો વહીવટ સરકાર હસ્તક લેવા માંગ કરી હતી. સીએમને જે પત્ર લખ્યો હતો તેમાં તેને ગંભીર આક્ષેપ કર્યા હતા.તેમણે લખ્યું કે મહંત એયાસી જીવન જીવે છે સેવકોને ઢોરમાર મારે છે. અહીં કરોડોના વહીવટમાં ગોલમાલ કરેલી છે.