Ribda: Amit Khunt કેસમાં સગીરાએ કરેલા આક્ષેપો પર તેના પિતાએ આપ્યું ચોંકાવનારું નિવેદન
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં એક પછી એક નવા ખૂલાસા સામે આવી રહ્યા છે. 2 દિવસ પહેલા સગીરાએ મીડીયા અને કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે “જયરાજસિંહ જાડેજા અને GANESH GONDALના કેવાથી પોલીસ એ સગીરા અને તેના પિતાને ધમકી આપી હેરાન કરે છે.”
આ બાદ આજે સગીરાના પિતાનું એક અન્ય ચોંકાવનારુ નિવેદન આવ્યું.જેમાં તેઓએ કહ્યું કે “મારી દીકરીએ જે જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ અને પોલીસ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું તે ખોટું છે. મને કોઈએ ઘરે આવીને કોઈએ ધાક ધમકી આપી નથી. મેં મારી દીકરીને છોડાવવા માટે વકીલ રાખ્યા હતા. સ્ટેશને જે મારી દીકરીએ નિવેદન આપ્યું તે સાચુ છે.હું ને મારી દીકરી અમારી મરજીથી ગોંડલ ગયા હતાં,અમને કોઈએ પુરીને રાખ્યા ન હતાં. ”
આ પણ વાંચો-Amit Khunt Case: સગીરાએ કર્યો મોટો ખુલાસો