કોંગ્રેસના વરિષ્ઠ નેતા Rahul Gandhi ની આણંદ મુલાકાત દરમિયાન મોટી અરેરાટ સર્જાઈ છે. ગાંધી ચૌક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારજનો પાસે પાસ ન હોવાથી સુરક્ષા કર્મચારીઓ દ્વારા બહાર કાઢતા ભારે હંગામો થયો.
આ પણ વાંચો – Pradip Bhakhar: પીડિતાનો વધુ એક વીડિયો, ખોલ્યા અનેક રાઝ!
Rahul Gandhi ને જાણ થતા જ તાત્કાલિક તેમણે હસ્તક્ષેપ કર્યો અને દરેક પીડિત પરિવારને વ્યક્તિગત રીતે મળવા બોલાવ્યા. રાહુલ ગાંધીએ મૃતકોના પરિવારો સાથે શોકની લાગણી અને સંવેદના વ્યક્ત કરી. Congress પક્ષ દ્વારા પીડિત પરિવારજનોને આમંત્રણ અપાયું હતું, છતાં સુરક્ષા માપદંડો હેઠળ કાર્ડ ન હોવાને કારણે તેઓને રોકવામાં આવ્યા હતા.