Pradipsinh Vaghela: શું બાપુ ફરી એકવાર કરશે કમબેક?

Pradipsinh Vaghela

Pradipsinh Vaghela: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. તેમના પ્રવાસ બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે ગુજરાત ભાજપ સંગઠન અને મંત્રીમંડળનું રિશફલિંગ થવાની શક્યતા છે. ગઈકાલે રાત્રે અમદાવાદમાં વડાપ્રધાન મોદીના રોડ શો દરમિયાન પૂર્વ પ્રદેશ મહામંત્રી Pradipsinh Vaghela દેખાતા અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. બાપુ ફરી એકવાર કમબેક કરશે કે નહીં હવે એ જોવાનું રહ્યું. પરંતુ તેમણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર વડાપ્રધાન મોદીના રોડ શોમાં હાજરી અને સૂત્રોચ્ચારનો વીડિયો શેર કર્યો છે.

2023માં PM Narendra Modi ના પ્રવાસ બાદ જ Pradipsinh Vaghela અચાનક હાસ્યમાં ધકેલાયા હતા. જ્યારે ગઈકાલે વડાપ્રધાન મોદીના રોડ શો દરમિયાન તેઓ હાજર હતા, જ્યાંથી PM મોદી ખુલ્લી જીપમાંથી ઉતરીને તેમની કારમાં બેસવાના હતા. તે દરમિયાન જ તેમણે અને તેમની ટીમે સાથે મળીને વડાપ્રધાન મોદી માટે નારા લગાવ્યા હતા. “દેખો દેખો કોન આયા… ભારત કા શેર આયા…”

Pradipsinh Vaghela

Pradipsinh Vaghela એ ક્યારે આપ્યું રાજીનામું?

8 ઓગસ્ટના ગુજરાત ભાજપે જાહેર કર્યું હતું કે તેના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ ઘટનાક્રમથી શાસક પક્ષના હોદ્દેદારો ચોંકી ગયા હતા. કારણ કે 43 વર્ષીય પ્રદીપસિંહ વાઘેલાને ભાજપના ત્રણ પ્રદેશ મહામંત્રીઓમાં સૌથી વધુ પ્રભાવશાળી ગણવામાં આવતા હતા. એટલું જ નહીં પરંતુ તેઓ પક્ષના પ્રમુખ સી. આર. પાટીલના નજીકના અને વિશ્વાસુ તરીકે પણ જાણીતા હતા. ભાજપે દાવો કર્યો હતો કે તેમણે વ્યક્તિગત કારણોસર સ્વેચ્છાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. પરંતુ પ્રદીપસિંહ વાઘેલાએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે 29 જુલાઈએ રાજીનામું આપ્યું હતું કારણ કે તેમને આવું કરવાનું કહેવામાં આવ્યું હતું.

Pradipsinh Vaghela ની રાજકીય સફર

  • પ્રદીપસિંહ વાઘેલા 2003માં ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે ચૂંટાયા
  • ભાજપની યુવા પાંખ, ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા
  • પ્રદીપસિંહ વાઘેલાએ સતત બે ટર્મ સુધી રાજ્યના BJYM ચીફનું પદ સંભાળ્યું
  • ત્યારબાદ પ્રદીપસિંહ વાઘેલાને પ્રદેશ પક્ષ એકમના સેક્રેટરી તરીકે નીમવામાં આવ્યા
  • ભાજપ સંગઠનમાં પ્રમુખ પદ બાદ સૌથી મહત્વનું પદ મહામંત્રીનું
  • C. R. Patil એ રજની પટેલ, ભાર્ગવ ભટ્ટ, વિનોદ ચાવડા અને પ્રદીપસિંહ વાઘેલાને મહામંત્રી બનાવ્યા
  • જેમાંથી વાઘેલા સૌથી મજબૂત વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા અને પક્ષની બાબતોમાં તેમનો દબદબો રહ્યો

આ પણ વાંચો – Weather Tracker: આગામી 48 કલાક ગુજરાતમાં માટે ‘ભારે’!

આ પણ વાંચો – GPSC પર લાગેલા આરોપ ને લઇ Alpesh Purohit એ કહ્યું માત્ર જાતિવાદ નહિ પણ ભાજપવાદ પણ..

હવે જોવાનું રહેશે કે ગુજરાતમાં નવા સંગઠનની રચના અને સાથે મંત્રીમંડળના વિસ્તરણમાં નવું શું થશે? પ્રદીપસિંહ વાઘેલા કમબેક કરશે કે કેમ તેના પર સૌની નજર રહેશે.

 

Scroll to Top