Tahawwur Rana: 26/11 મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ગુરુવારે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. એરપોર્ટથી સીધો તેને પટિયાલા કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેને 18 દિવસની એનઆઈએની કસ્ટડીમાં મોકલી દીધો છે. દરમિયાન વડાપ્રધાન મોદીનું એક જૂનું ટ્વીટ અને ઇન્ટરવ્યૂ વાઈરલ થઈ રહ્યું છે.
2021ની ટ્વીટ વાઇરલ થઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2011 માં ટ્વિટર પર તહવ્વુર રાણાને લઈને એક પોસ્ટ કરી હતી. તે સમયે અમેરિકાએ રાણાને મુંબઈ હુમલામાં સામેલ હોવાના આરોપમાંથી મુક્ત કરી દીધો હતો પરંતુ હુમલામાં એક આતંકવાદી સમૂહને સમર્થન આપવા બદલ દોષિત ઠેરવ્યો હતો. તે સમયે પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તેમણે આ ઘટના પર સવાલ ઉઠાવ્યા હતા.
US declaring Tahawwur Rana innocent in Mumbai attack has disgraced the sovereignty of India & it is a “major foreign policy setback”
— Narendra Modi (@narendramodi) June 10, 2011
કયા પુરાવા ના આધારે નિર્દોષ જાહેર કર્યો
પીએમ મોદીએ તત્કાલિન યુપીએ સરકારની વિદેશ નીતિ પર સવાલ કરતાં ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મુંબઈ હુમલામાં તહવ્વુર રાણાને નિર્દોષ જાહેર કરવો એ ભારતની સંપ્રભુતાનું અપમાન છે અને આ વિદેશ નીતિના એક મોટી નિષ્ફળતા છે. કયા પુરાવાના આધારે મુંબઈ હુમલાના દોષિતોને નિર્દોષ જાહેર કર્યા ? મુંબઈ આતંકી ઘટનાના પીડિતોને ન્યાયની જરુર છે. શું 9/11 હુમલાના દોષિતોનો કેસ હિન્દુસ્તાનની કોર્ટમાં ચાલી શકે છે ? શું અમેરિકા આ માટે ભારતને મંજૂરી આપશે ?
Thirteen years ago, when Modi was not yet Prime Minister, he had said something — and today, with Rana extradited from the USA, his words ring true: it is Indian laws that will decide the fate of a terrorist, not the USA. #TahawwurHussainRana #TahawwurRana pic.twitter.com/GF5AY9j52P
— Jay (@Junkie4news_) April 10, 2025
જૂનો ઇન્ટરવ્યૂ પણ વાયરલ થયો
દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે તહવ્વુર રાણાને નિર્દોષ છોડવા મામલે નિવેદન આપી રહ્યાં છે. તેમજ તત્કાલિન યુપીએ સરકારની નિષ્ફળતા પર સવાલ કરી રહ્યાં છે.
You Can also Follow us on Social Media
Youtube | Facebook | Instagram | X (Twitter) | WhatsApp