PM Modi Gujarat: પહલગામ હુમલા પછી ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આતંકવાદી આકાઓને યોગ્ય જવાબ આપ્યા પછી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે. પીએમ મોદી કચ્છના અમદાવાદ, દાહોદ અને ભૂજની મુલાકાત લે તેવી શક્યતા છે. પીએમ મોદી કચ્છના ભૂજમાં એક જાહેર સભાને સંબોધિત કરશે. આ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
Operation Sindoor બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મે એમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી મોદીના ભવ્ય સ્વાગતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદની જેમ Bhuj માં પણ રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Ahmedabad Airport થી ઈન્દિરા સર્કલ સુધી પ્રધાનમંત્રીનો Road Show યોજાશે. જે માટે અલગ અલગ થીમ મુજમ ટેબ્લો અને સ્ટેજ તૈયાર કરાશે. 26 મેએ અમદાવાદમાં તેઓનું આગમન થશે અને રોડ શો યોજશે. ત્યારબાદ ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ કચ્છ, દાહોદ અને ગાંધીનગરના કાર્યક્રમમાં હાજરી આપશે. નોંધનીય છે કે પ્રધાનમંત્રી મોદીના પ્રવાસના આયોજનને આખરી ઓપ આપવા બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે.
દાહોદમાં રેલવે કારખાનાના નવીનિકરણના કાર્યક્રમ પહેલા પીએમ મોદી વડોદરામાં રોકાણ કરી અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પીએમ મોદીના આ જ કાર્યક્રમને લઈને મહાનગરપાલિકામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પીએમ મોદીના સન્માન સ્વાગત કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. મહાનગરપાલિકા કમિશનર અરૂણ મહેશ બાબુ અને મેયરએ માહિતી આપતા જણાવ્યુ કે ઓપરેશન સિદૂંરને લઈને નારી શક્તિથી પીએમ મોદીનું સન્માન કરવામાં આવશે. એરપોર્ટ બહાર એક કિલોમીટરના અંતરે 15 મિનિટનો કાર્યક્રમ રહેશે. જેમાં સામાજિક સંસ્થાઓ, સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ, તજજ્ઞો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો – Weather Tracker: શું વાવાઝોડું ત્રાટકશે કે નહીં?
આ પણ વાંચો – Surendranagar: વઢવાણમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવો જ બનાવ
માહિતી અનુસાર, પ્રધાનમંત્રી મોદી ગુજરાત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદની પણ મુલાકાત લઈ શકે છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ ભુજમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરે તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી પ્રવાસના આયોજનને આખરી ઓપ આપવાને લઈ ગઈકાલે CM નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં મુખ્યમંત્રી, સંગઠન મહામંત્રી રત્નાકર, હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે તેમજ યોગ્ય વ્યવસ્થાને લઈ કેટલાક નેતાઓને જવાબદારી પણ સોંપાઈ છે.