payal goti: તથા કથિત લેટર સાચો હતો?પરેશ ધાનાણીના ટ્વીટથી ખળભળાટ

payal goti: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે. હવે આ સમગ્ર ઘટનામાં પરેશ ધાનાણીના એક ટ્વીટથી ખળભળાટ મચી ગયો છે. આ ટ્વીટ બાદ અમરેલી (Amreli) ના લેટર અને સરઘસ કાંડ બાદ રાજનીતિ તેજ બની ગઈ છે.

ટ્વીટમાં આ ઉલ્લેખ કરવામાં આવ્યો

અમરેલી (Amreli) ના પર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ વાઇરલ લેટર કાંડ મામલે મોટો ખુલાસો કર્યો છે.તેમણે ટ્વીટમાં ઉલ્લેખ કર્યો કે લેટરનો FSL રીર્પોર્ટ આવી ગયો છે. ટ્વીટમાં નીચે મુજબ ઉલ્લેખ કરવામાં આવ્યો.

“દાળમાં કંઈ કાળુ છે કે પછી આખી દાળ જ કાળી..?””
આધારભૂત સૂત્રોથી મળેલ માહિતી મુજબ સ્થાનિક પોલીસને FSL નો રીપોર્ટ તો ક્યારનોય મળી ગયો છે.,
તો પછી સત્ય ઉપર જ પડદો પાડવાનો પ્રયાસ કોણ અને શું કામે કરાવી રહ્યુ છે..?
સત્વરે FSL નો રીપોર્ટ જાહેર કરો.!
#નારી સ્વાભિમાન આંદોલન

જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયાને કર્યા સસ્પેન્ડ

અમરેલીના નકલી લેટરકાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં નકલી લેટર કાંડના આરોપી અશોક માંગરોળીયા પર અમરેલીના DDOએ કાર્યવાહી કરી છે. DDO પરીમલ પંડ્યાએ અશોક માંગરોળીયાને જસવંત ગઢના સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અશોક માંગરોળીયા લેટરકાંડ મામલે સબજેલમાં હોવાથી DDOએ સસ્પેન્ડ કર્યા છે. આ કાર્યવાહી થતા સમગ્ર પથંકમાં હાહકાર મચી ગયો છે.

 

Scroll to Top