Payal Goti: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે. આ ઘટનામાં પાટીદાર દિકરીને ન્યાય મળે તે માટે SMC વડા નિર્લિપ્ત રાય (Nirlipta Rai) ને તપાસ સોપવામાં આવી હતી. આજ (20-01-25)થી નિર્લિપ્ત રાયે (Nirlipta Rai) તપાસ ચાલુ કરી છે.
નિર્લિપ્ત રાયની ટીમનો આજથી તપાસનો ધમધમાટ
સમગ્ર ઘટનાને લઈ નિર્લિપ્ત રાય (Nirlipta Rai) આજથી (20-01-25) તપાસનો ધમધમાટ ચાલુ કરશો. જેમાં રાયની ટીમ નકલી લેટર કાંડને લઈને પાયલ ગોટી (Payal Goti) ના કેસની તપાસ કરશે. આ ઘટનામાં કોણ કોણ જવાબદાર છે, આ ઘટનાના મુખ્ય સુત્રધાર કોણ છે તે તમામ બાબતે તપાસ કરવાના થશે.આ ઉપરાંત લેટરકાંડની ભોગ બનેલી પાયલ ગોટી (Payal Goti) ની પણ તપાસ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર અમરેલીના સર્કિટ હાઉસ ખાતે પાયલ ગોટી (Payal Goti) નું નિવેદન પણ નોંધી શકે છે.
નિર્લિપ્ત રાય પાયલનું નિવેદન પણ નોંધી શકે છે
તમને જણાવી દઈએ આ પહેલા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ૩ પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી બદલ પોલીસ અધિક્ષકે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.આ લેટરકાંડમાં નકલી લેટર કાંડના આરોપી અશોક માંગરોળીયા પર અમરેલીના DDOએ કાર્યવાહી કરી હતી. DDO પરીમલ પંડ્યાએ અશોક માંગરોળીયાને જસવંત ગઢના સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.અશોક માંગરોળીયા લેટરકાંડ મામલે સબજેલમાં હોવાથી DDOએ સસ્પેન્ડ કર્યા હતા.