Payal Goti: અમરેલી લેટરકાંડના મુખ્ય સુત્રધારના હાઈકોર્ટેમાં જામીન મંજુર

Payal Goti: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો હતો. ત્યારબાદ દિકરીને ન્યાય મળે તે માટે SMC વડા નિર્લિપ્ત રાયને તપાસ સોપવામાં આવી હતી.આ તપાસ બાદ આજે (01/023/25)ના રોજ અમરેલીના લેટર કાંડના આરોપીઓને હાઈકોર્ટે જામીન આપ્યા છે.

બાકી રહેલા 3 આરોપીઓને મળ્યા જામીન

અમરેલી લેટરકાંડને લઇ સૌથી મોટ સમાચાર સામે આવી રહ્યા છે.આ લેટરકાંડના મુખ્ય સુત્રધાર મનીષ વઘાસીયાને હાઈકોર્ટે જામીન મંજુર કર્યા છે.આ સાથે સાથે અન્ય બે આરોપીના પણ જામીન મંજૂર કર્યા છે. જેમાં જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા અને જીતુ ખાત્રાને પણ જામીન મળ્યા છે.આ પહેલા સેશન કર્ટે પાયલ ગોટીને જામીન આપી દિધા છે.હાઇકોર્ટના વકીલ અભિજિત રાઠોડ અને અપૂર્વ જાનીએ લેટર કાંડના આરોપીઓને જામીન અપાવ્યા હતા.

કૌશિક વેકરીયા વોન્ટેડની પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાઇરલ 

સમગ્ર અમરેલી પત્રકાંડમાં અત્યારસીધી અનેક પ્રકારની માહિતી સામે આવી છે. જેમા વધુ એક પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરૂદ્ધ સોશ્યલ મીડિયામાં વોન્ટેડની પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. આ પોસ્ટમાં ઉલ્લેખ હતો કે અમરેલીની જનતા રાહ જુએ તેવા એડિટિંગ સાથેના વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા.જેમાં નકલી લેટર કાંડ બાદ ધારાસભ્ય કૌશિક વેકરીયા મીડીયા માંથી ગાયબ થઈ ગયા છે.આ સમગ્ર ઘટના સૌરાષ્ટ્રની અલગારી નામના ફેસબુક આઈડી પરથી પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી.

 

Payal Goti:

Scroll to Top