Patidar: પાટીદાર અગ્રણી કરસન પટેલનું પાટણમાં વિવાદિત નિવેદન, માત્ર રાજકીય લાભ લીધો

Patidar: પાટીદાર નેતા કરસન પટેલે એક કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપ્યું છે. આ નિવેદન તેમને પાટણમાં યોજાયેલ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં આપ્યું હતું. પાટણના 42 લેઉવા પાટીદાર (Patidar) સમાજના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં કરસન પટેલે આ આંદોલન (andolan) અંગે પોતાના નિવેદન આપ્યુ હતું. કરસન પટેલે હુંકારથી કહ્યું હતું કે પાટીદાર (Patidar) આંદોલનથી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. આ આંદોલન (andolan) કરનારાઓએ માત્ર રાજકીય લાભ લીધો છે. તેમણે વધુમાં કહ્યું આંદોલન (andolan) ના કારણે લેઉવા પાટીદાર (Patidar) ની દીકરીને મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું હતું. આ સભામાં વેધક સવાલ કરતા કહ્યું શું આંદોલન (andolan) ખરેખર અનામત માટે હતું કે કોઈને પદ પરથી હટાવવા માટે? તેમણે ભારપૂર્વક કહ્યું કે એક પટેલ બીજા પટેલને કાઢે તે માનવામાં નથી આવતું.

પાટીદાર આંદોલનથી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી

કરસન પટેલે પાટણમાં વ્યાપક દારૂના દૂષણ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પાટણમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને આજુબાજુના વિસ્તારોમાં દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. તેમણે પાટણ યુનિવર્સિટીના દારૂ કાંડનો પણ ઉલ્લેખ કર્યો હતો અને દારૂના મામલે સમાજના બેવડા વલણ પર ટકોર કરી હતી. તેમણે કહ્યું કે લોકો સમાજ સુધારવા માટે સંમેલનો કરે છે અને દારૂ છોડાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવે છે. પરંતુ સંમેલન પૂરું થયા પછી એ જ જગ્યા પર દારૂની મહેફિલ થાય છે. કરસન પટેલના આ નિવેદનો સમાજમાં પ્રવર્તતી વાસ્તવિકતાને ઉજાગર કરે છે.

 

Scroll to Top