ભારત સરકારે ભાજપના પૂર્વ મહામંત્રી અને પાટણના કે. સી. પટેલની હુડકોમાં સ્વતંત્ર બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી છે. આ નિમણૂકને વધાવવા રવિવારે લેમોનેટ પાર્ટી પ્લોટ ખાતે અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ મહામંત્રીએ Patan Police પર પ્રહાર કર્યા હતા. પૂર્વ મહામંત્રી K. C. Patel એ કહ્યું કે, પાટણ પોલીસ હપ્તાખોરી કરીને રૂપિયા ઉઘરાવી તોડ કરી રહી છે. પોલીસ ખાનગી વાહન ચાલકો પાસેથી તોડ કરે છે. જેના કારણે લોકો પાટણ આવતા નથી. હવે આ વાતના કારણે જિલ્લામાં રાજકારણ ગરમાયું છે.
BJP ના પૂર્વ મહામંત્રી કે. સી. પટેલે પાટણ પોલીસ પર પ્રહાર કર્યા હતા. કે. સી. પટેલે પોલીસ પર હપ્તાખોરીનો આક્ષેપ લગાવ્યો અને પોલીસ ખાનગી વાહનચાલકો પાસેથી હપ્તા વસૂલે છે તેવી વાત કરી હતી. જાહેરમંચ પરથી પોલીસ 500-1000 રુપિયા સુધીના હપ્તા વસૂલે છે તેવી વાત કે. સી. પટેલે કરી છે.
કે. સી. પટેલનું વધુમાં કહેવું છે કે, ખાનગી વાહનો ન આવતા ધંધા રોજગાર પર અસર પડી છે. તો મહત્વની વાત તો એ છે કે કે. સી. પટેલને આ વાતની ખબર હતી તો તેમણે કેમ પહેલા આ વાતની જાણ પાટણ એસપીને અને સરકાર સુધી ના કરી, હવે તમે જાહેર મંચ પરથી બોલો છો તો તમે પહેલા પણ આ વાત કરી શકતા હતા. પાટણમાં ભાજપ નેતા અને હુડકોના ઈન્ડિપેન્ડટ ડિરેક્ટર કે. સી. પટેલનો ગતરોજ ડિરેકટર બનવા બદલ સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
આ પણ વાંચો – Gondal: એલાન-એ-જંગ! ગ્રામ્ય પોલીસ સામે મહાસંમેલન
આ પણ વાંચો – Visavadar: સૌથી મોટી બબાલ, જુઓ કોના કેવા થયા હાલ
પાટણમાં ભાજપના પૂર્વ મહામંત્રી કે. સી. પટેલ દ્વારા પોલીસ હપ્તા લે છે. તેવા નિવેદનથી ખળભળાટ મચ્યો હતો. પાટણમાં ધંધા રોજગાર પર તેની અસર જોવા મળી છે. કેમ કે પોલીસ બહારના વાહનચાલકો પાસેથી હપ્તા લે છે અને તેના કારણે લોકો પાટણ સુધી આવતા નથી અને અન્ય જગ્યાએ જાય છે. કે. સી. પટેલનું કહેવું છે કે, વાહન ચાલકો ખરીદી માટે રાધનપુર, બેચરાજી, મહેસાણા જેવા સેન્ટરમાં જાય છે.