wether update: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી (Paresh Goswami) એ મકરસંક્રાંતિના દિવસ માટે ગુજરાતના હવામાન વિશે આગાહી કરી છે. તેમની આગાહી મુજબ, આ વર્ષે ઘણા વર્ષો પછી મકરસંક્રાંતિના દિવસે પવનની ગતિ અને દિશા ગુજરાત માટે અનુકૂળ રહેશે. મોટા ભાગના વિસ્તારોમાં આકાશ ચોખ્ખું રહેશે અને મહત્તમ તાપમાન 25 થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.
મહત્તમ તાપમાન 25 થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા
બનાસકાંઠા અને અરવલ્લીમાં આ વિસ્તારોમાં તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહી શકે છે.પોરબંદર, દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને કચ્છના ભાગો: આ વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધારે, એટલે કે 14 થી 18 કિમી પ્રતિ કલાક જેટલી રહેશે.ઉત્તર ગુજરાત સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પવનની દિશા ઉત્તર અને ઉત્તર-પૂર્વની રહેશે અને પવનની ઝડપ પણ સારી રહેશે.છોટાઉદેપુર, દાહોદ, ગોધરા આ વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરની રહેશે અને પવનની ઝડપ 12 થી 15 કિમી પ્રતિ કલાક રહેશે.
પવનની ઝડપ 12 થી 15 કિમી પ્રતિ કલાક રહેશે
આણંદ, ખેડા, નડિયાદ, વિરમગામ: આ વિસ્તારોમાં પવનની ઝડપ 10 થી 12 કિમી પ્રતિ કલાક રહેશે.મધ્ય ગુજરાતના વિસ્તારમાં પવનની ગતિ અનુકૂળ રહેશે.જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ આ વિસ્તારોમાં પવનની દિશા 8 થી 10 કિમી પ્રતિ કલાક રહેશે, પરંતુ બપોર બાદ પવનની ગતિ વધી જશે.આ આગાહી મકરસંક્રાંતિની ઉજવણી કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે, ખાસ કરીને પતંગ ચગાવવાના શોખીનો માટે. અનુકૂળ પવનની સ્થિતિને લીધે પતંગ ચગાવવાનો આનંદ બમણો થઈ જશે.