Porbandar | ઘેડ પંથકમાં Mansukh mandaviya ની 1500 કરોડની જાહેરાત સામે Pal Ambaliya નો મોટો આરોપ

Porbandar: કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ ઘેડ વિકાસ સમિતિના 11 ઠરાવ પર આધારિત માંગથી અડગ રહેવાની વાત કરી છે. મનસુખ માંડવીયાની ઘેડ બાબતેની તાજેતરની જાહેરાત પછી પાલ આંબલિયાએ ઘણા સવાલો ઉભા કર્યા છે.પાલ આંબલિયાએ કહ્યું કે, મનસુખ માંડવીયાએ જાહેરાતમાં 180 કરોડ, 450 કરોડ અને 1500 કરોડના આંકડાઓ વિશે માહિતી આપી, જેમાંથી કયું સાચું છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.પાલ આંબલિયાએ કહ્યું કે, મનસુખ માંડવિયાએ હાલના વર્ષોમાં તૂટેલી નદીઓના રીપેરીંગ અંગે એક પણ શબ્દ કેમ ન કહ્યો? કેટલીક નદીઓ હજુ તૂટેલી સ્થિતિમાં છે, ચોમાસા પહેલાં તે રીપેર કરાશે કે કેમ?

Scroll to Top