Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓના હુમલમાં 28 લોકોના મોત થયા છે. આ હુમલામાં એક નેપાળી નાગરિકે જીવ ગુમાવ્યા હતા. આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન સરકારના સોશિયલ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે (Indian Government) પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક (Digital Strike) શરૂ કરી છે. ભારતે પાકિસ્તાન સરકાર (Pakistan Government) ના સોશિયલ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતે ભારતમાં પાકિસ્તાન સરકારનું સત્તાવાર X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે, જેને ડિજિટલ યુદ્ધમાં સર્જિકલ સ્ટ્રાઈક માનવામાં આવી રહી છે.
ભારતે અગાઉ બુધવારે સાંજે CCS ની બેઠકમાં પાંચ મોટા નિર્ણયો લીધા હતા. જેમાં 1960ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી હતી, અટારી-વાઘા સરહદ બંધ કરી દીધી હતી અને પાકિસ્તાની હાઇ કમિશનના લશ્કરી સલાહકારોને હાંકી કાઢીને રાજદ્વારી સંબંધોને ન્યૂનતમ સ્તરે ઘટાડી દીધા હતા.
ભારતમાં કોઈ યુઝર્સ પાકિસ્તાન સરકારના X હેન્ડલને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરે છે, તો તેને “આ એકાઉન્ટ ભારતમાં દેખાશે નહીં” જેવો સંદેશ દેખાય છે. X પ્લેટફોર્મ પર વિશ્વભરના નેતાઓ અને સરકારો પાસે વેરિફાઇડ એકાઉન્ટ્સ છે. આ એકાઉન્ટ્સ દ્વારા તે પોતાના દેશ વિશે નિર્ણયો અને અન્ય માહિતી આપે છે. આ એકાઉન્ટ ભારતમાં બ્લોક કરવામાં આવ્યું છે.