ગુજરાતની અંદર ઘણા દિવસોથી એક મુદ્દા ખૂબ જ ચર્ચિત છે. આ મુદ્દો ચર્ચામાં આવાનો કારણ છે ક્ષત્રિય સમાજના આગેવાનોએ ઉઠાવેલો સવાલ હતો. Surendranagar Limbdi ના પાંચ જેટલા પોલીસકર્મચારીઓ પ્રવાસે જાય છે. અને પ્રવાસ બાદ તપાસનો દૌર શરૂ થાય છે. જેમાં ખુલાસો થયો છે કે આ પોલીસકર્મીઓની આરોપીઓ સાથે સાઠગાંઠ હોવાની વાત સામે આવી છે. આ પાંચ કર્મચારીઓને ડિસમીસ કરવામાં આવ્યા છે. Kshatriya Samaj એ આક્ષેપ કર્યો છે કે, ક્ષત્રિય સમાજના પાંચ પોલીસ કર્મચારીઓને ઇરાદાપૂર્વક નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા છે. અને હવે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી Padminiba Vala નો એક ઓડિયો મેસેજ વાયરલ થયો છે. શું કહ્યું Padminiba Vala એ વાંચો નીચે,
🚨જાગો.. ક્ષત્રિય સમાજ જાગો.. 🚨
જય માતાજી
સમગ્ર ક્ષત્રિય સમાજ ના ભાઈઓ, બહેનો, વડીલો તથા સામાજિક તેમજ રાજકીય આગેવાનો ને ખુબ જ દુઃખ સાથે હું કહેવા માંગુ છું કે..
હમણાં સુરેન્દ્રનગર જિલ્લા ના લીંબડી ખાતે ફરજ બજાવતા ફક્ત આપણા સમાજ ના જ પાંચ પોલીસ ભાઈઓ ને પક્ષપાત રાખીને ડિસમિસ કરવામાં આવ્યા છે તેનો એકાદ સિવાય કોઈ કેમ અવાજ ઉઠાવતું નથી?
ફક્ત ક્ષત્રિય સમાજ ને જ ટારગેટ કરીને હળાહળ અન્યાય કર્યો હોવા છતાં કેમ કોઈ બહાર આવતું નથી?
આ બાબતે મેં ઘણો સમય રાહ જોઈ, પણ કોઈ ના પેટ માં પાણી હલતું નહીં દેખાતા.. આ પત્ર લખુ છું.
બાકી, અમે જયારે સમાજ નો કોઈ પ્રશ્ન ઉઠાવતા હોઈ ત્યારે તો બંધ કરાવવા કે વિરોધ કરવા તો ખુબ લોકો આવી જતા હોય છે. તો આ પ્રશ્ને હજુ કેમ કોઈ મેદાને આવતું નથી?
બાકી અમે સમાજ ના સારા કાર્યો કરતા હોઈ ત્યારે તો યેનકેન પ્રકારે, ષડયંત્રો કરી, સાચું ખોટું જાણ્યા વગર, આધાર પુરાવા વગર આક્ષેપો કરવામાં તો અમુક સમિતિઓ મોખરે હોય છે, ક્યાં છે આ સમિતિઓ..?
કે પછી ચૂંટણીઓ આવવાની રાહ જોવો છો?
બાકી, સાચા અને સારા કે જે ગ્રાઉન્ડ લેવલે સમાજ માટે નિસ્વાર્થ ભાવે લડતા લોકો ને કેમ બેસાડી દેવા અને ટાંટિયા ખેંચી કેમ પછાડવા એ માં તો એક્કા છો.
તો આવો મેદાને અને કરો કંકુના અને અપાવો ન્યાય આપણા જ પાંચ ભાઈઓ ને..
બાકી, બહુ સન્માન કર્યા તલવારો, સાફા – પાઘડીઓ આપી આપી ને અને પાયલાગણ કરી કરી ને..
તો રાહ કોની જોવો છો?બસ એજ
લી. પદ્મિનીબા વાળા
આ પણ વાંચો – Banni Gajera: પોલીસની પૂછપરછમાં કર્યો મહત્વપૂર્ણ ખુલાસો
આ પણ વાંચો – Weather Analysis: સિસ્ટમ સક્રિય થશે તો ગુજરાતના આ વિસ્તારને ખતરો