Rajkot માં ગજબ થયું ભાઈ, વર-કન્યા ફેરા ફરે તે પહેલા આયોજક ફરાર

Rajkot News: રાજકોટમાં આયોજીત સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં વર-કન્યા ફેરા ફરે તે પહેલા આયોજક ફરાર થઈ જતા ભારે હોબાળો થયો છે.જ્યા દંપતી નવી જિંદગીની શરૂઆત કરે તે પહેલા વર-કન્યાના સપના ચકનાચૂર થઈ ગયા છે. જાનૈયા જાન લઈને આવે એ પહેલા સમુહલગ્નના આયોજકો ફરાર થઈ ગયા હતા. ત્યા આવી પહોંચેલા જાનૈયાને જાણ થઈ કે આયોજનકો ફરાર થઈ ગયા છે.આ જાણીને હાજર લોકો ચોકિત થઈ ગયા હતા.

વર-કન્યા ફેરા ફરે તે પહેલા આયોજક ફરાર

મળતી માહિતી અનુસાર રાજકોટના માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે ઋષિવંશી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 28 નવ દંપત્તિ લગ્નના તાંતણે બંધાવાના હતા.પરંતુ વરરાજા લગ્ન સ્થળે પહોંચ્યા ત્યા કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી.કન્યા પક્ષ અને વરપક્ષ બંન્ને પાસેથી 15-15 હજાર રૂપિયા ઉધરાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યા છે.જ્યારે આ તમામ વરાજાને એન.વી ઈવેન્ટ ગ્રુપના નામથી રસીદ આપવામાં આવી હતી.

2024માં સમૂહ લગ્ન માટેનું બુકિંગ કરવામાં આવ્યું હતું

ડિસેમ્બર-2024માં સમૂહ લગ્ન માટેનું બુકિંગ કરવામાં આવ્યું હતું. હવે રુપિયા લઈને આયોજકો ફરાર થઈ ગયા છે. તેમણે ફોન પણ સ્વીસ ઓફ કરી દીધો છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ શરુ કરી છે. ઋષિવંશી ગ્રુપના નામે આયોજન કરનાર આયોજકો ફરાર થઈ ગયા છે. આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા છે. સવારે 4થી 6ના ગાળામાં 28 જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી છે.

 

Scroll to Top