રાજ્યમાં ભારે વરસાદ પડવાથી સૌરાષ્ટના અનેક જીલ્લામાં ભારે વરસાદ પડ્યો હતા. તેના કારણે ખેડુતોને ખુબ નુકસાન થયું હતું. ખેડુતોનો ઉભા પાક સુકાઈ ગયો હતો તેથી ખેડુતો પાયમાલ થયા હતા. રાજ્ય સરકારે ખેડુતો માટે આર્થિક પેકેજ જાહેર કર્યું હતું. પરંતું ખેડુતો આ પેકેજથી રાજી ન હતા. કોંગ્રેસે પણ ખેડુતોની સાથે આવ્યા હતા. પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરની આગેવાનીમાં અતિવૃષ્ટિ નુકશાનને લઈને પાયમાલ ખેડૂતોને સહાય આપવા કોંગ્રેસે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપ્યું હતું.
વીરજી ઠુમ્મરે પાઠવ્યું આવેદનપત્ર
ઓગષ્ટ મહિનાથી અને વર્તમાન ચાલુ માસ સુધી બાબરા તાલુકામાં કુદરતી વરસાદની આફતોએ પાકનો તથા ખેડુતોના ખાતર બિયારણનો સંપુર્ણ પણે નાશ થયેલ હોય, સરકાર તરફથી અવાર-નવાર લેખીત-મૌખિક ખેડુતોને તથા નુકશાન ભોગવનારાઓને તત્કાલ સર્વે કરી વળતર આપવા માંગણી કરેલ છે. પરંતુ કોઇ અકળ કારણોસર સમગ્ર રાજ્યનાં ખેડુતોને ખેત આધારીત નુકશાનનું વળતર માત્ર ઓગષ્ટ માસમાં જે થયેલ તેનું સરકારે ખેડુતોની કુર મજાક કરી છે. ત્યારે આ અંગે બાબરા તાલુકા તમામ ગામોનાં સમગ્ર ખેડુતો આ સંદર્ભે તત્કાલ ખેત આધારીત તથા અતિવૃષ્ટિનાં કારણે નુકશાન પામેલ નાના વેપારીઓના જાનમાલને પણ સર્વે કરી તત્કાલ વળતર ચુકવવા આ અમારી નામ માંગણી છે.
પત્રમાં આ માંગણી કરી
1) ઓગષ્ટ માસથી આજદિન સુધી સમગ્ર તાલુકામાં ખેતી આધારીત અતિવૃષ્ટિના કારણે નુકશાનીનું કોઇ સર્વે થયો હોય તેવું લાગતુ નથી. સરકારના પદાધિકારીઓ માત્ર સરકારની વાહ-વાહી માટે અને પોતાની ચાપલુસીમાં રત હોવાને કારણે હંમેશા આ તાલુકાને છેલ્લા ત્રણ વર્ષથી અન્યાય થયો છે જેથી તત્કાલ બાબરા તાલુકાનાં ખેડુતોને તથા નાના મધ્યમ વેપારીઓને નુકશાનીનું વળતર ચુકવાઇ તેવી અમારી માંગણી છે.
(૨) ખેડુતોના મોંઘા ભાવનાં ખાતર-બિયારણો, મજુરી વગેરે સદંતર નિષ્ફળ ગયા છે પરીણામે કારમી
મોંઘવારીમાં નાના-મધ્યમ ખેડુતો અને વેપારીઓને જીવન જીવવું દુષ્કર બન્યું છે. પ્રજાનાં હામી
હોવાનો ખોટો ડંભ ઉભો કરી માત્ર વાહ-વાહી લુટીને સરકાર ખેડુતો અને લોકોની કુર મશ્કરી કરવાનું
બંધ કરે અને યોગ્ય વળતર તત્કાલ ચુકવાઇ તેવી કાર્યવાહી કરી તેવી અમારી માંગણી છે.
(૩) તાલુકા લેવલે હાલ રેશનીંગ કાર્ડમાં કે.વાઈ.સી. ની પ્રક્રિયા થઈ રહી છે પરીણામે દૂર વિસ્તારનાં ગામોમાંથી ખેડુતો અને ગ્રામજનોને પારાવાર મુશ્કેલી ઉભી થઈ રહી છે. લાઇનમાં ઉભુ રહી આખો દિવસ ખેતીની મજુરી ગુમાવી અને આ કામગીરી માટે તાલુકા લેવલે જે મુશ્કેલી ઉભી થઈ રહી છે તેનું તત્કાલે નિવારણ કરી ગ્રામ્ય લેવલે વી.સી.ઈ. મારફત કે.વાઇ.સી. ની કામગીરી ગામમાંજ થાય તેવી કામગીરી કરવા અમારી માંગણી છે.
(૪) નવી રવિ ફસલ માટે ખાતર બિયારણોની તંગી ના પડે તે અંગે તાલુકા અને ગ્રામ્ય લેવલે મંડળી મારફત તત્કાલ ખાતર-બિયારણની વ્યવસ્થા ઉભી થાય તેવી કાર્યવાહી કરવા પણ અમારી માંગણી
કોંગ્રેસના ભાજપ પર આક્ષેપ
વોટ બેંકને જાહેરાતનાં માધ્યમથી રાજી રાખી ૩૦ વર્ષથી કામ કરતી આ સરકારને ખેડુતોને પોતાના પ્રશ્નો પત્યે પડતી મુશ્કેલીમાંથી ઉગારવા માટે કોઇ નક્કર કામગીરી આજસુધી થઈ નથી. ખેડુતોને ખેતી આધારીત પોર્ટલ પ્રોસેસ વીધીમાં કાયમ મુશ્કેલી પડી રહી છે. ખેતી આધારીત આ જિલ્લાને તેમજ રાજ્યને બચાવી ખરા અર્થમાં ખેડુતોના હિતમાં કામ કરી રહી છે. તેવું પ્રતિપાદિત કરે તેમજ આ જિલ્લાને કાયમ અન્યાય કરી મતનુ રાજકારણ બંધ કરી ખરા અર્થમાં ખેડુતોને ન્યાય આપે તેવી અમારી માંગણી છે. ઉપરોકત માંગણી સંબંધે યોગ્ય નિરાકરણ નહી આવે તો ના છુટકે ખેડુતોને આંદોલન કરવાની ફરજ પડશે.