કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં માર્ગ અકસ્માતોનો ચોંકાવનારા આંકડાનો ખુલાસા કર્યા હતા. નીતિન ગડકરીએ સાંસદમાં કહ્યું 2018થી 2022 વચ્ચે દેશમાં માર્ગ અકસ્માતમાં 7 લાખ 77 હજાર 423 લોકોના મોત થયા છે. પરિવહન મંત્રી આપેલી માહિતી અનુસાર વર્ષ 2022માં આખા દેશમાં કુલ 4 લાખ 61 હજાર 312 માર્ગ અકસ્માતો થયા છે. સાંસદમાં
પ્રશ્નના જવાબમાં તેમણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણમાં જોવા મળેલી ખામીઓ માટે ચાર કોન્ટ્રાક્ટરોને જવાબદાર ઠેરવવાની વાત કરી હતી.
માર્ગ અકસ્માતોનો ચોંકાવનારા આંકડાનો ખુલાસા કર્યા
સંસદનું શિયાળુ સત્ર દરમિયાન માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરીએ સાંસદ દ્રારા પૂછવામાં આવેલા સવાલના જવાબ આપ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ માર્ગ અકસ્માતોની વિગતો ફલોર ઉપર આપી હતી. તેમણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણમાં જોવા મળેલી ખામીઓ સામે કડક કાર્યવાહી કરી તે વાત પણ રાખી હતી. મંત્રાલય આંકડા અનુસાર 2018થી2022 વચ્ચે માર્ગ અકસ્માત 7,77,423 લોકોએ જીવ ગુમાવ્યા છે.
2018થી2022 વચ્ચે માર્ગ અકસ્માત 7,77,423 લોકોએ જીવ ગુમાવ્યા
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે વર્ષ 2022માં દેશમાં કુલ માર્ગ અકસ્માતોની સંખ્યા 4 લાખ 61 હજાર 312 છે. 2022માં અકસ્માતોમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા છે. 2022માં માર્ગ અકસ્માતમાં 4 લાખ 43 હજાર 366 લોકો ઘાયલ થયા હતા. વર્તમાન સમયમાં ભંયકર માર્ગઅકસ્માત થઈ રહ્યા છે. તેને રોકવા માટે દરેક વ્યક્તિએ તથા સમાજે સાથ સહકાર આપવો પડશે. ગડકરીએ કહ્યું દુઃખ થાય છે કે પ્રયાસો છતાં એક વર્ષમાં 1.68 લાખ લોકોના મોત થયા છે. આ લોકોના મોત માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં 60 ટકા છોકરા છોકરીઓ હતા. મંત્રીએ સાંસદોને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવામાં સક્રિયપણે સહકાર આપવા લોકોને અપીલ કરી છે.