Maharashtra: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. ડેપ્યુટી મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે નામ લીધા વગર ટીકાકારોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ. શિંદેએ વર્ષ 2022માં થયેલી રાજકીય ઉથલપાથલ અને સરકાર બદલવાની ઘટનાને ટાંકીને પોતાનો મજબૂત સંદેશ આપ્યો છે. આ સાથે જ, શરદ પવાર દ્વારા ‘મહાદજી શિંદે (aeknath sinde) રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર અર્પણ કરવા પર થયેલી ટીકાઓનો પણ તેમણે જડબાતોડ જવાબ આપ્યો હતો.
શિંદેએ જડબાતોડ જવાબ આપ્યો
એકનાથ શિંદે (aeknath sinde) એ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત એક સામાન્ય કાર્યકર તરીકે થઈ હોવાનું યાદ અપાવ્યું હતું, પરંતુ સાથે જ તેમણે પોતાની ક્ષમતાનો પરચો પણ આપ્યો હતો. તેમણે કહ્યું, “હું એક સામાન્ય કાર્યકર છું, પરંતુ મને બાળાસાહેબ અને દિઘે સાહેબના સિદ્ધાંતો પર ચાલનારો કાર્યકર સમજવો જોઈએ. જ્યારે લોકોએ મને હળવાશથી લીધો, ત્યારે મેં 2022માં રાજકીય ચિત્ર બદલી નાખ્યું અને સરકાર પણ બદલી નાખી. અમે સામાન્ય લોકોની સરકાર સ્થાપી. લોકોને જે જોઈતું હતું, તે ડબલ એન્જિનવાળી સરકાર ઝડપથી આગળ વધી રહી છે.”
મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ફરીથી ચર્ચા જાગી
શિવસેના પ્રમુખે વધુમાં ઉમેર્યું હતું કે, “મેં વિધાનસભાના ભાષણમાં કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસજી અને મને ૨૦૦થી વધુ બેઠકો મળશે. પરંતુ અમે તો ૨૩૨ બેઠકો મેળવી છે, એટલે મને હળવાશથી લેવાની ભૂલ ન કરવી. જે કોઈ મારા સંકેતને સમજવા માગતા હોય, તેઓ સમજી લે. હું મારું કામ કરતો રહીશ. વિરોધીઓ રોજ આક્ષેપો કરતા રહે છે. શિંદે (aeknath sinde) ના આ નિવેદનથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ફરીથી ચર્ચા જાગી છે.