કિમ જોંગે 30 અધિકારીઓને આપ્યો મૃત્યુદંડ: ઉત્તર કોરિયામાં પૂરનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હતા

કિમ જોંગે 30 અધિકારીઓને આપ્યો મૃત્યુદંડ: ઉત્તર કોરિયામાં પૂરનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને 30 ઉચ્ચ અધિકારીઓને મરણદંડની સજા સંભળાવી છે. દક્ષિણ કોરિયાના ટીવી ચેનલ ચોસુનના રિપોર્ટ મુજબ, આ અધિકારીઓને ઉત્તર કોરિયામાં આવેલા તાજેતરના પૂરનો સામનો કરવામાં નિષ્ફળ રહેવા બદલ આ સજા કરવામાં આવી છે. જુલાઈમાં થયેલા ભારે વરસાદ અને પૂરના કારણે લગભગ 1,000 લોકોના મૃત્યુ અને 4,000 મકાનો ધરાશાયી થયા હતા.

અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને ફરજમાં બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. કિમ જોંગે આ અધિકારીઓને જનહિતમાં કડક સજા આપવાનો આદેશ આપ્યો. આ સાથે, ઉત્તર કોરિયાના 3 પ્રાંતોને સ્પેશિયલ ડિઝાસ્ટર ઈમરજન્સી ઝોન તરીકે જાહેર કર્યા છે.

ઉત્તર કોરિયામાં કોરોના પછી જાહેર મૃત્યુદંડના કેસોમાં વૃદ્ધિ થઈ છે. દક્ષિણ કોરિયાના મીડિયાના અહેવાલ મુજબ, કોરોનાના પહેલા દર વર્ષે 10 જેટલા જાહેર મૃત્યુદંડના કેસ હતા, પરંતુ હવે આ આંકડો વધીને લગભગ 100 થઈ ગયો છે.

કિમ જોંગની સરકારનું તાનાશાહી વલણ યુવાનોને પણ બક્ષતી નથી. થોડા સમય પહેલા 30 સગીર વિદ્યાર્થીઓને દક્ષિણ કોરિયાની ટીવી સિરિયલો જોવા બદલ જાહેરમાં ગોળી મારી દેવામાં આવ્યા હતા.

https://x.com/volcaholic1/status/1818972885144223939

Scroll to Top