ગુજરાતમાં Kadi-Visavadar વિધાનસભાની બંને બેઠકો પર પેટા-ચૂંટણી માટે આગામી 19મી જૂનના રોજ મતદાન થવાનું છે. ત્યારે 2 જૂને બંને વિધાનસભા બેઠક પર ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ હતી. જેમાં કડીની અનુસૂચિત જાતિની અનામત બેઠક માટે 10 ઉમેદવારો અને વિસાવદર જનરલ બેઠક માટે 22 જેટલા ઉમેદવારોએ નામાંકન કર્યું છે, ત્યારે વિસાવદર અને કડી બંને પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળવાનો છે.
Kadi વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવાર
- રાજેન્દ્રકુમાર દાનેશ્વર ચાવડા (ભારતીય જનતા પાર્ટી)
- પિયુષ કરશનભાઈ સોલંકી (ભારતીય જનતા પાર્ટી)
- રમેશભાઈ મગનભાઈ ચાવડા (ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ)
- સુહાગ રમેશભાઈ ચાવડા (ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ)
- અલ્પેશભાઈ જશુભાઈ પરમાર (માલવા કોંગ્રેસ)
- ચાવડા જગદીશભાઈ ગણપતભાઈ (આમ આદમી પાર્ટી)
- પ્રવિણભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ (ભારતીય જન પરિષદ)
- મકવાણા દશરથભાઈ ગણપતભાઈ (આપકી આવાઝ પાર્ટી)
- નાગેશકુમાર ગણપતભાઈ ઝાલા (અપક્ષ)
- સેનમા ભરતકુમાર ગાભુભાઈ (અપક્ષ)
વિસાવદર વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવાર
- કિરીટ બાલુભાઈ પટેલ (ભારતીય જનતા પાર્ટી)
- રમણીકભાઈ જીવરાજભાઈ દુધાત (ભારતીય જનતા પાર્ટી)
- રાણપરીયા નિતીનકુમાર લખમણભાઈ (ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ)
- ચંદ્રીકાબહેન કરશનભાઈ વાડદોરીયા (ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ)
- ગોપાલભાઈ ગોરધનભાઈ ઈટાલીયા (આમ આદમી પાર્ટી)
- હરેશભાઈ છગનભાઈ સાવલીયા (આમ આદમી પાર્ટી)
- કિશોરભાઈ ગોબરભાઈ કાનકડ (પ્રજાશક્તિ ડેમોક્રેટીક પાર્ટી)
- અનિલભાઈ નરેન્દ્રભાઈ ચાવડા (ન્યુ ઈન્ડીયા યુનાઈટેડ પાર્ટી)
- કલ્પનાબહેન અનિલભાઈ ચાવડા (ભારતીય જન પરિષદ)
- બિનલકુમાર વિષ્ણુભાઈ પટેલ (આપકી આવાઝ પાર્ટી)
- પરમાર રાજેશકુમાર પ્રેમજીભાઈ (અપક્ષ)
- રજનીકાંત પોપટભાઈ વાધાણી (અપક્ષ)
- દલસુખભાઈ વશરામભાઈ હીરપરા (અપક્ષ)
- યુનુસભાઈ હુસુનભાઈ સોલંકી (અપક્ષ)
- હિતેશભાઈ પ્રેમજીભાઈ વઘાસીયા (અપક્ષ)
- સોલંકી રોહિત બધાભાઈ (અપક્ષ)
- તુલશીભાઈ મનુભાઈ લાલૈયા (અપક્ષ)
- સુરેશકુમાર જયંતીભાઈ માળવીયા (અપક્ષ)
- પ્રજાપતિ ભરતભાઈ સવજીભાઈ (અપક્ષ)
- ટાંક સંજય હિતેષભાઈ (અપક્ષ)
- રાજ પ્રજાપતિ (અપક્ષ)
- નિરૂપાબહેન નટવરલાલ માધુ (અપક્ષ)
આ પણ વાંચો – Visavadar Assembly: વિસાવદરમાં જામશે જંગ, આ બેઠકનું જુઓ A to Z અપડેટ
Kadi-Visavadar: ચૂંટણી પંચની સૂચના અનુસાર, બંને વિધાનસભાની પેટા ચૂંટણી-2025ના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-26) પણ રજૂ કરવાનું રહે છે. જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-26) રજૂ કર્યાના 24 કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. આગામી 19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે. આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે.