જુનાગઢમાં ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા બાદ ગાદી વિવાદ ચાલુ થયો છે. અંબાજી મંદિરની ગાદી માટે સંતોમાં રાજકારણ થવા લાગ્યું છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ સતત સામે આવી રહ્યા છે. આ વિવાદની વચ્ચે મહેશગીરી બાપુએ ભાજપના નેતાઓને કરોડો રૂપિયા આપવાનો આરોપ પણ લગાવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી હરિગીરી બાપુ ઉત્તર પ્રદેશમાં હતા. જ્યારે મહેશગીરીએ લગાવેલા તમામ આરોપો પર હરીગીરી બાપુની પ્રતિક્રિયા સામે આવી છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીના તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે.
તમામ આરોપોને ખોટા ગણાવ્યા
20 નવેમ્બરના રોજ બહ્મલીન થયેલા તનસુખગીરી બાપુની ધૂળ લોટ વિધિ થઈ હતી. તે સમયથી ભવનાથના મહંત હરિગીરી બાપુએ પ્રેમગીરી બાપુની ચાદર વિધિ કરીને તેમને અંબાજીની ગાદીના મહંત જાહેર કર્યા હતા. ત્યારબાદ ખુબ હોબાળો થયો હતો. તનસુખીગીરી બાપુના પરિવારજનોએ માંગ કરી કે ગાદીલ પરંપરા મુજબ તનસુખગીરી બાપુના પરિવારમાંથી જ કોઈને મળવો જોઈએ. ગાદી પદના વકરતા વિવાદ વચ્ચે મહેશગીરી બાપુના એક લેટર થી ખળભળાટ મચ્યો હતો. હરિગીરી બાપુએ ભવનાથ મંદિરનું પદ મેળવવા એક રાજકીય પક્ષ અને બે કલેક્ટર સહિત અનેક મહાનુભાવોને રૂપિયા આપ્યાનો પત્રમાં ઉલ્લેખ કરેલો છે. જૂના અખાડાના લેટર પેડ પર જ લખાયેલો છે.
એક રાજકીય પક્ષ અને બે કલેક્ટરે રૂપિયા આપ્યાનો પત્રમાં ઉલ્લેખ
તમામ વિવાદોની વચ્ચે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ અને ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ વચ્ચે હોબાળો થયો હતો.ખુદ તનસુખગીરી બાપુના જ શિષ્ય કીશોર અને યોગેશે આરોપ લગાવ્યો કે મહેશગીરી બાપુએ તનસુખગીરી બાપુ હોસ્પિટલમાં હતાં ત્યારે તેમની પાસે ખોટી રીતે સહી-સિક્કા કરાવી લીધાં. તો બીજી તરફ મહેશગીરી બાપુનો દાવો છે કે ડૉક્ટર અને વકીલની સાક્ષીએ તનસુખગીરી બાપુએ સહી-સિક્કા કરીને. અંબાજી ગાદીનું ધ્યાન રાખવા કહ્યું હતું. મહેશગીરી બાપુની માંગ છે કે સનાત ધર્મની રક્ષા માટે અને પરંપરા મુજબ આ ગાદી કોઈ સારી વ્યક્તિના હાથમાં જાય