Jenny Thummar: દલિત આગેવાનોએ કોંગ્રેસના નેતાને ઘેર્યા

Jenny Thummar

Jenny Thummar: Amreli ના દલિત Nilesh Rathod Murder Case મામલે હવે દલિત અગ્રણીઓ કોંગ્રેસ નેતાઓને આડે હાથ લઈ રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ અમરેલીના દલિત સમાજના યુવકની હત્યા મુદ્દે મોન કેમ છે? તેવા તીખા સવાલો કરવામાં આવ્યા છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય Pratap Dudhat અને પૂર્વ વિપક્ષ નેતા Paresh Dhanani ને પણ ફોન કરવામાં આવ્યો હતો. દલિત હત્યા કેસ અંગે કોંગ્રેસ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તો સામે વિનમ્ર ભાવે કોંગ્રેસ નેતાઓએ દલિત અગ્રણીઓને જવાબ પણ આપ્યા હતા. પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, Virji Thummar સાથેના કોલ રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે આ અંગે Jenny Thummar એ સોશિયલ મીડિયા પર લખ્યું કે,

અમરેલી ના જરખીયા ગામે દલિત યુવાન નિલેશભાઈ રાઠોડની હત્યા થઈ જે ખૂબ દુઃખદ છે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. અમરેલી પોલીસ દ્વારા આ બનાવની તટસ્થ તપાસ કરી આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ કડકમાં કડક સજા થવી જ જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવું કૃત્ય કરવાની હિંમત કોઈ કરી ન શકે. ન્યાયની લડાઈમાં હંમેશા ન્યાયના પક્ષે રહ્યા છીએ અને લડ્યા છીએ ભવિષ્યમાં પણ હંમેશા ન્યાયના પક્ષે રહીશું.
પરીવારજનો સાથે મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું અને સાથે સાથે જનતાજોગ વિનંતી કરું છું કે આ કોઈ જાતિ કે સમાજ પરનો હુમલો કે ઝગડો નહીં વ્યક્તિગત ઝગડો હોય સમાજોએ એકબીજા સાથે વૈમનસ્ય કે વેરભાવના ના રાખવી.
વ્યક્તિગત ઝગડાઓ દરેક ગામમાં દરેક સમાજમાં અને જ્ઞાતિઓ વચ્ચે થતાં રહેતા હોય પરંતુ એને જાતિગત રૂપ આપવું એ દરેક સમાજ માટે નુકસાનદાયક બની શકે.
મૃતકની આત્માને ભગવાન શાંતિ અર્પે અને પરીવાર પર આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી અંતઃકરણ પૂર્વકની પ્રાર્થના.
Scroll to Top