Surat માં મોટું BJP સંમેલન, જયેશ રાદડિયાનો વિરોધીઓને સણસણતો જવાબ
આ પણ વાંચો-Gopal Italia: “ખેડૂતો સાથે કરોડોનું કૌભાંડ થયું”
Suratમાં ભાજપના નેતા એવા KIRIT PATELને જીતાડવા માટે સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં જયેશ રાદડિયાએ કિરીટ પટેલ પર લાગેલા આ આરોપોનો વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો હતો.
વિપક્ષના લોકો એ થોડા દિવસ પહેલા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર કૌભાંડના આરોપો લગાવ્યા હતા. કિરીટ પટેલ જૂનાગઢ સહકારી મંડળીના ચેરમેન તરીકે 2023 માં નિમાયા હતા. વિપક્ષના નેતાઓએ કરોડોના કૌભાંડ આ જૂનાગઢ સહકારી મંડળી માં થતા હોવાના આરોપો લગાવ્યા હતા.વિપક્ષના નેતા મુજબ કિરીટ પટેલે જનતાના કરોડો રૂપિયા ખાધા છે.
કિરીટ પટેલ પર લાગેલા આ આરોપોનો જયેશ રાદડિયા એ જવાબ આપતા કહ્યું કે જે કૌભાંડના આક્ષેપો કિરીટ પટેલ પર લગાવાયા છે એ 2012ના છે. જયારે કિરીટ પટેલ એ વર્ષ 2023માં જૂનાગઢ મંડળીના ચેરમેન પદે નિમાયા હતા. તેઓએ આગળ જણાવતા કહ્યું કે જૂનાગઢ સહકારી મંડળી ખાડામાં ગયેલી બેન્ક હતી. જેને છેલ્લા 2 વર્ષમાં કિરીટભાઈ પટેલની આગેવાનીમાં 45 કરોડ રૂપિયાની આવક થઇ છે.
તેઓએ આગળ કહ્યું કે કિરીટ પટેલ સમાજના કામમાં હંમેશા આગળ રહ્યા છે.સમાજનો એક પણ એવો કાર્યક્રમ નથી જેમાં મારી અને કિરીટ પટેલની હાજરી ના હોય. કિરીટ પટેલને આ ચૂંટણી જીતવાથી કોઈ રોકી નહી શકે.