Jawahar Chavda: જાણો વિસાવદરના રાજકારણની અંદરની વાત

Jawahar Chavda

Jawahar Chavda: ભારતીય જનતા પાર્ટીએ રવિવારે મોડી રાત્રે કડી વિધાનસભા તેમજ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં Visavadar વિધાનસભાની પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવાર તરીકે કિરીટ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. Kirit Patel ના નામની જાહેરાત થતા વિસાવદર વિધાનસભા વિસ્તારમાં તેમના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી પણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ વિસાવદર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલીયા દ્વારા પોતાનું ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યાં સુધી કિરીટ પટેલના નામની જાહેરાત કરવામાં નહોતી આવી ત્યાં સુધી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હર્ષદ રીબડીયાનું તેમજ આમ આદમી પાર્ટી તેમજ ધારાસભ્યનું પદ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા ભુપત ભાયાણીનું નામ ચર્ચામાં હતું. પરંતુ આખરે કિરીટ પટેલના નામની જાહેરાત થતા તમામ અટકળોનો અંત આવ્યો છે.


થોડાક સમય પહેલા તમને યાદ હોય તો આ જ કિરીટ પટેલ પર રાજ્યના પૂર્વ મંત્રી અને એક સમયના કોંગ્રેસના પીઢ નેતા જવાહર ચાવડા વિદ્રોહના સૂર રેલાવી રહ્યા હતા. જવાહર ચાવડાએ વડાપ્રધાન Narendra Modi ને સંબોધી એક પત્ર લખ્યો હતો જે બાદ રાજ્યનાં રાજકારણમાં ભારે હડકંપ મચ્યો હતો.

પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી લખેલા પત્રમાં જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પર ગંભીર આરોપ લગાવતા હતા અને લખ્યું હતું કે, પાર્ટીમાં ‘એક વ્યક્તિ એક હોદ્દો’ છે પણ કિરીટ પટેલે આ નિયમને નેવે મૂકીને ત્રણ હોદ્દા મેળવ્યા છે. કિરીટ પટેલ છેલ્લા 9 વર્ષથી એક સાથે 3 હોદ્દા પર છે. આ સાથે તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે જિલ્લા પ્રમુખે પોતાનાં હોદ્દાનો દુરુપયોગ કરી બીજા હોદ્દા મેળવ્યા હતા. આ પત્ર જાહેર થતા આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો હતો.

આ પણ વાંચો – Visavadar: કિરીટ પટેલનું નામ જાહેર થતા દિવાળી જેવો માહોલ

આ પણ વાંચો – Kirit Patel: હાઇવોલ્ટેડ ડ્રામા વચ્ચે BJP ના ઉમેદવારનું નામ જાહેર

 

Scroll to Top