IPL : શું IPL 2025ની ફાઈનલ મેચમાં પણ વરસાદનું વિઘ્ન નડશે ?

IPL : આવતીકાલે અમદાવાદમાં આઈપીએલ ફાઈનલ મેચ યોજાવાની છે. આ મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાવાની છે. જો કે આ ફાઈનલ મેચ પહેલા ક્રિકેટરસિકોને નિરાશ કરતા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે,  IPLની ફાઈનલ મેચમાં વરસાદનું વિઘ્ન નડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવતીકાલે સાંજે અમદાવાદમાં વરસાદ પડી શકે છે.

ક્વોલિફાઈંગ મેચમાં પણ વરસાદ વિઘ્ન બન્યો

મહત્વનું છે કે, ક્વોલિફાઈંગ મેચમાં પણ વરસાદ વિધ્ન બન્યો હતો અને થોડી કલાકો માટે મેચ રોકવાની ફરજ પડી હતી. ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ફાઈનલ દરમિયાન પણ વરસાદને કારણે IPLની ફાઈનલ મેચની મજા બગડી શકે છે. વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ મેચ કલકત્તામાં યોજાવાની હતી પરંતુ કેટલાંક કારણોસર આ ક્વોલિફાયર 2 અને ફાઈનલ મેચ અમદાવાદ ખાતે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે IPL 2025ની ફાઈનલ મેચ આવતીકાલે અમદાવાદમાં રમાવા જઈ રહી છે. ત્રીજી જૂને IPLની ફાઈનલ  બેંગાલુરુ અને પંજાબ વચ્ચે રમાવાની છે.  પંજાબ કિંગ્સ 11 વર્ષ બાદ IPLની ફાઈનલમાં પહોંચ્યુ છે. મુંબઈ ઈન્ડિયન્સને હરાવી પંજાબ કિંગ્સનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ફાઈનલ મુકાબલો થવાનો છે. ખરાખરીના જંગ અને રસાકસી ભરેલી ફાઈનલની સહુ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે જો વરસાદ વિધ્ન બન્યો તો મેચની મજા બગાડી શકે છે. હાલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ અમદવાદમાં ફાઈનલ મેચ દરમિયાન વરસાદ વિઘ્ન બની શકે છે.


3 જૂને આ સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

  •  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી
Scroll to Top