SURATમાં C.R.PATIL એ ભાયાણીને યાદ કરી કોને ટોણો માર્યો?

C.R.PATIL

SURATમાં C.R.PATIL એ ભાયાણીને યાદ કરી કોને ટોણો માર્યો?

SURATમાં વિસાવદરના ભાજપના ઉમેદવાર એવા કિરીટ પટેલને જીતાડવા માટે સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં જયેશ રાદડિયા, કિરીટ પટેલ  અને C.R.PATIL જેવા મોટા અને દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જયેશ રાદડિયા એ કિરીટ પટેલ પર લાગેલા આક્ષેપોનો જવાબ આપ્યો હતો. ત્યારે સી.આર. પાટીલે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી અને હર્ષદ રિબડીયાને યાદ કર્યા હતા .

આ પણ વાંચો- Surat માં રહેતા વિસાવદરના લોકોના દિલ જીતવા Kirit Patel એ વિસાવદરની અયોધ્યા સાથે સરખામણી કરી?

તેઓએ કહ્યું કે જયારે હર્ષદ રીબડીયા જયારે જીત્યા ત્યારે તેઓને મળી ને કહ્યું હતું કે તેઓ વિસાવદરની જનતા સાથે અન્યાય કરી રહ્યા છે. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ભલે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને 7000 મત માટે હારી ગયા, પરંતુ એક પણ દિવસ એમણે પાર્ટી છોડવાનો વિચાર નથી કર્યો. એ સતત લોકો સાથે સંપર્કમાં રહ્યા, સતત ખેતરોમાં ફરતા રહ્યા, ખેડૂત ભાઈઓને મળતા રહ્યા.

એમને હતું કે ભલે વિસાવદરમાં મારી જીત નથી થઈ પરંતુ ભારતીય જનતા પાર્ટીના હાથમાં જ વિસાવદર અને ભેંસાણનું ભવિષ્ય છે, એને જો વિકસિત કરવું હશે તો હું પાર્ટી બદલી નહીં શકું.
જયારે એમનું નામ જાહેર નહીં થયું, ત્યારે પહેલો ફોન એમણે મને કર્યો કે જરાય ચિંતા નહીં કરતા. હું માથા પર ફાળયું બાંધીને ટ્રેક્ટર લઈને નીકળી જાય બુલેટ લઈને નીકળી જાય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈને જીતાડવાના સંકલ્પ સાથે નીકળીશ.

તેઓએ આગળ જણાવતા કહ્યું કે ભૂપતભાઈ એ પણ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હતા એમને ટિકિટ નહીં મળી એના કારણે નારાજ હતા. મને મળ્યા ત્યારે એમણે કહ્યું કે મેં પાર્ટીમાં રહીને હું મહામંત્રી જેવી જવાબદારીમાં હતો અને છતાં મેં ભૂલ કરીને હું આપમાં ગયો. હું જીત્યો છું પણ મારું મન ભારતીય જનતા પાર્ટીની સાથે છે. હું રાજીનામું આપવા માગું છું.

એમણે પાંચ વર્ષ ધારાસભ્ય તરીકે રહીને એન્જોય કરવાને બદલે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને કામ કરવાનું નક્કી કર્યું. ભૂપત ભળવીર હતો એને તો એક મિનિટમાં રાજીનામું આપી દીધું અને આજે જ્યારે એને ફરી ટિકિટ નથી મળી ત્યારે પણ એનાથી જે કઈ થઈ શકે છે એ ભેસાણના વિસ્તારમાં એ ફરી રહ્યા છે કામ કરી રહ્યા છે.

Scroll to Top